સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવા જઇ રહ્યા છે. ત્યારે કેવડિયા ખાતે 260 કરોડના ખર્ચે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ બનાવવામાં આવશે. તેમજ 31 ઓક્ટોબરે એકતા દિવસે PM મોદી તેનું ખાત મુહૂર્ત કરશે. તેમજ મ્યુઝિયમ માટે કમિટી 2021 રાજ્ય સરકરે કમિટી બનાવી હતી. આ દરમિયાન કમિટી દ્વારા અલગ અલગ રાજ્યોની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ વર્તમાન રાજ પરિવારોના મત અને સૂચન લેવાયા હતા.

88

અત્યાર સુધી દિલ્હી, વડોદરા, રાજકોટ , રાજસ્થાન, મૅસુર સહિત દેશમાં 15 પ્રિન્સી સ્ટેટ સાથે કમિટીએ મુલાકાત કરી છે. ખાત મુહૂર્ત સમયે દેશના મહત્તમ રાજ પરિવારો ઉપસ્થિત રહેશે. તેમજ કેવડિયામાં આ મ્યુઝિયમ 5 એકર જમીનમાં બનશે. ભારતની આઝાદી સમયે 562 રાજવી પરિવારોના બલિદાન અને ત્યાગની થીમ પર આ મ્યુઝીયમ તૈયાર કરાશે.

MODI

સરદાર પટેલ અને રાજવી પરિવારોના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ વધુ એક પગલું છે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ મ્યુઝિયમ બનશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહ્ત્વના પ્રોજેકટમાનો આ એક પ્રોજેકટ છે. તેમજ આ પ્રોજેક્ટ 260 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થવાનો છે. 2 વર્ષમાં આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.