
સૌરાષ્ટ્ર અને રાજકોટના એકમાત્ર અલાયદા એવા શ્રી ગણેશ મંદિર મા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરા ભારતમાં ફક્ત આ એકજ મંદિર મા દર્શનાર્થીઓ ને દિવાળી દરમ્યાન નવા વર્ષે લાભ પાંચમ ના દિવસે જ અતિ વિદ્વાન પંડિત બ્રાહ્મણો દ્વારા ઉચ્ચ મંત્રોચ્ચાર તથા પૂજા વિધી દ્વારા સિદ્ધ કરેલ ધનરાશિ પ્રસાદ રૂપે તા. ૧૮-૧૧ ને લાભ પાંચમ ના પવિત્ર દિવસે સવારે ૮.૦૦ વાગ્યે મહાઆરતી બાદ શુભ સંકલ્પ સાથે દરેક ઉપસ્થિત ભક્તજનોને વિના મૂલ્યે આપવામાં આવશે સાથે પરીવાર મા સદાય સુખ શાંતી બની રહે, અને નોકરી-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આર્શીવચન આપવામાં આવશે. આ અંગે મંદિરના ટ્રસ્ટી કિરીટભાઈ કુંડલીયા અને રાજાભાઈ કુંડલીયાએ જણાવ્યું હતું.