વિસાવદરના સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વિસાવદર પ્રખંડ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું.જેમાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્મપ્રચાર સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સંમેલનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ધર્મેન્દ્ર ભાવણી દ્વારા વિશ્વ હિન્દૂપરિસદની સ્થાપના ક્યારે થઈ અને પરિસદનું આગળનું મિશન શું છે તેના પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ગ્રામ્યના ભાઈઓ ,બાળકો ,રાજકીય ,બિન રાજકીય અને વિવિધ સંસ્થાઓ સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના હરેશ સાવલિયા અને બજરંગ દળના કુણાલવીકમાં સહિત ના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી.

ગિજુ વીકમા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.