• 1965માં પાકીસ્તાનની 156  બોમ્બની વર્ષા છતાં દ્વારકાનો ચમત્કારિક બચાવ

ઇ.સ.1965માં પાકીસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રિના સમયે મેલી મુરાદથી દરીયાઈ માર્ગે 156 જેટલાં બોમ્બથી ભીષણ બોંબમારો કરવામાં આવ્યો હતો. પરંતુ સુદર્શન ચકધારી જગતપાલક દ્વારકાધીશજીએ મંદિર તેમજ સમગ્ર નગરીનું રક્ષાણ કરી સમગ્ર નગરીને બચાવતા એક પણ બોમ્બ દ્વારકામાં ન પડતાં શહેરથી દૂર પડયા હતા. ત્યારથી ભગવાનનો આભાર માનતાં આ શુભદિનને વિરાટ વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે આવતીકાલે પલમાં વિરાટ વિજય દિવસની ઊજવણીરૂપ જગતમંદિરમાં મધ્યાહન સમયે ભગવાનના વામન સ્વરૂપની વિશેષ ઉત્સવ આરતી પણ કરવામાં આવશે.

મહેન્દ્ર કક્કડ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.