- દેશભક્તિ ફિલ્મો માટે જાણીતા બોલીવુડના પીઢ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન
- મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
- દિગ્ગજ અભિનેતાના નિધનથી બોલીવુડમાં શોકની લહેર
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. 87 વર્ષની વયે તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમજ તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિની ફિલ્મો કરી હતી. એટલા માટે ચાહકો પણ તેમને પ્રેમથી ‘ભારત કુમાર’ કહીને બોલાવતા હતા. તેમણે ક્રાંતિ, ઉપકાર જેવી સુપરહિટ દેશભક્તિની ફિલ્મો કરી હતી.
ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર જે ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા. તેમજ તેમનું નિધન થઇ ગયું છે. તેમજ તેમને “ભારત કુમાર” નામે પણ ઓળખવામાં આવતા હતા. આ દરમિયાન તેમણે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
બોલિવૂડ અને ચાહકોમાં શોકની લાગણી :
મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેમજ તમામ ફેન્સ અને સેલિબ્રિટીને પણ આ સમાચાર સાંભળી આઘાત લાગ્યો છે. લોકો તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
કઈ કઈ ફિલ્મોમાં કામ કર્યું હતું :
મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને નેધનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.
1957 માં ડેબ્યૂ :
દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું ગેમચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતા.
મનોજ કુમારે 24 કલાકમાં ફિલ્મની વાર્તા લખી હતી :
મનોજ કુમાર લાલ બહાદુર શાસ્ત્રીના શબ્દોથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે તરત જ તેમને વચન આપ્યું કે તેઓ અનાજનું ઉત્પાદન કરતા ખેડૂતો પર એક ફિલ્મ બનાવશે. આ મુલાકાત પછી તેઓ દિલ્હીથી મુંબઈ જવા રવાના થયા. આ 24 કલાકની મુસાફરીમાં, તેમણે સેના અને ખેડૂતો પર ફિલ્મની વાર્તા લખી અને તેનું નામ ‘ઉપકાર’ રાખ્યું હતું.