તમારું મગજ કેવી રીતે કામ કરે છે તે તમારી જીવનશૈલી અને આહાર પર ઘણો આધાર રાખે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે વધુ પડતો આલ્કોહોલ કે મીઠા ઠંડા પીણા પીવાથી મગજને નુકસાન થાય છે.
તાજેતરના સંશોધનમાં એક ચોંકાવનારી વાત સામે આવી
આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે માનસિક ક્ષમતાને ઝડપથી ઘટાડવા માટે ધૂમ્રપાન સૌથી વધુ જવાબદાર છે. સંશોધન પરિણામો દર્શાવે છે કે ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં ધૂમ્રપાન કરનારાઓ મગજને 85% જેટલી ઝડપથી નુકશાન કરે છે. તેનો અર્થ એ કે ધૂમ્રપાન છોડવું એ ફક્ત તમારા ફેફસાં માટે જ નહીં પરંતુ તમારા મગજ માટે પણ મહત્વપૂર્ણ છે.
દારૂ કરતાં સિગારેટ વધુ ખતરનાક છે
અભ્યાસમાં સામેલ સંશોધકોનું કહેવું છે કે ધૂમ્રપાનથી શરીરમાં બળતરા વધે છે, જે મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. ધૂમ્રપાન રક્ત પરિભ્રમણને પણ વિક્ષેપિત કરે છે, જેના કારણે મગજમાં ઓક્સિજન અને પોષક તત્વો ઓછા પ્રમાણમાં પહોંચે છે. પરિણામે, મગજના કોષોને નુકસાન થાય છે અને મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી.
જો તમે ધૂમ્રપાન નથી છોડી શકતા તો આટલું કરો
તેમાં કોઈ શંકા નથી કે ધૂમ્રપાન છોડવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી તમે સિગારેટના વ્યસનમાંથી સંપૂર્ણ રીતે છૂટકારો મેળવવા માટે સક્ષમ ન હો ત્યાં સુધી તમે તેની આડ અસરોને ઘટાડવા માટે તંદુરસ્ત જીવનશૈલીની આદતો અપનાવી શકો છો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે, નિયમિત કસરત કરે છે, ન્યૂનતમ આલ્કોહોલનું સેવન કરે છે અને હેલ્ધી ફૂડ ખાય છે તેમનેબ્રેન ફોગનું જોખમ એટલુ જ હોય છે જેઓ ધૂમ્રપાન નથી કરતા.
શું તમને બ્રેઈન ફોગ છે? જાણો લક્ષણો
બ્રેઈન ફોગ એ કોઈ મેડિકલ કંડિશન નથી. બ્રેઈન ફોગ એટલે કે સામાન્ય રીતે મૂંઝવાયેલા રહેવું, અનિયમિત રહેવું અને બેધ્યાન રહેવું. વિચારશક્તિને પણ તે અસર કરે છે. આ સ્થિતિ વિશે મનોચિકિત્સક ડો.જણાવે છે કે, ‘આ અવસ્થામાંથી કોઈપણ પસાર થઈ શકે છે, પરંતુ તેમાંથી બહાર નીકળી શકાય છે. બ્રેઈન ફોગ થવાના ઘણાં કારણો છે, જેમ કે, ઓછી ઉંઘ લેવી, તણાવ, એક સમયે બહુ બધા કામ કરવા, સંબંધોમાં સમસ્યા, વર્તમાન સમયની કોરોના મહામારી.’
ડૉ.જણાવે છે કે, ‘આ અવસ્થામાં વ્યક્તિ મૂંઝવણમાં જોવા મળે છે. આ અવસ્થામાં વ્યક્તિ કોઈ પ્રતિક્રિયા નથી આપતો અથવા તેનું વર્તન બહુ અલગ થઈ જાય છે. લોકો સાથે તેનું વર્તન સામાન્ય નથી હોતું. વ્યક્તિના વર્તનથી લોકો તેને નાપસંદ પણ કરી શકે છે.’
ડૉ.જણાવે છે કે, ‘વધારે પડતાં ડ્રગ્સને કારણે, આલ્કોહોલને કારણે અથવા વધારે પડતાં મશરુમ ખાવાથી બ્રેઈન ફોગ થઈ શકે છે. કેટલાક કેસોમાં થોડા સમય માટે મૂંઝવણ પેદા થાય છે. કેટલાંક કેસોમાં લાંબા સમય માટે બ્રેઈન ડેમેજ થવાની શક્યતા છે અને વ્યક્તિ બહુ અસ્પષ્ટ બની જાય છે. જો મગજને ઈજા પહોંચી હોય તો તે પણ એક કારણ છે બ્રેઈન ફોગ થવાનું.’
- સ્ટ્રક્ચરલ ડેમેજ, (અકસ્માત અથવા સ્ટ્રોક)
- કેમિકલ ડેમેજ (અમુક નશીલા પદાર્થોને લીધે)
- ભાવનાત્મક મુદ્દા (વ્યક્તિનું ભાવનાત્મક પરિબળ)
બ્રેઈન ફોગની સારવાર
- વ્યસન છોડી દેવું જોઈએ
- સ્ટ્રકચરલ ડેમેજ હોય તો ન્યૂરોલોજીસ્ટનો સંપર્ક કરવો
- એક સમયે એક જ કામ કરવું
- જો કામ મોટું હોય તો તેને અલગ અલગ ભાગોમાં વહેંચી દો
અસ્વીકરણ : ‘આ લેખમાં આપવામાં આવેલી માહિતી/સામગ્રી/ગણતરીઓની અધિકૃતતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, વાચક અથવા વપરાશકર્તાએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.