• સંસ્થા દ્રારા બાળક બિમાર હોવા છતા સારવાર ન કરાવી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા
  • પોલીસ પણ પરિવારને જવાબ ન આપતી હોવાનું પરિવાર દ્વારા જાણવામાં આવ્યું

જુનાગઢના સ્વામિનારાયણ ગુરૂકુળમાં વિધાર્થીના મોતથી વિવાદ સામે આવ્યો છે.સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાજકોટના ઓમ સાંગાણી નામના વિધાર્થીનું મોત થયું હતું.પરિવારજનોને બિમારીને કારણે વિધાર્થીનું મોત થયો હોવાનો સંસ્થાએ બચાવ કર્યો હોવાના તેમજ  સંસ્થા દ્રારા બાળક બિમાર હોવા છતા સારવાર ન કરાવી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે .સીસીટીવીમાં બાળકની તબિયત નાદુરસ્ત હોવાનું દેખાઇ રહ્યું છે.પોલીસ પણ પરિવારને જવાબ ન આપતી હોવાનું પરિવાર દ્વારા જાણવામાં આવ્યું હતું.અંતિમ ક્ષણની બે કલાકના સીસીટીવી ફુટેજ દેખાડવામાં ન આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

પાર્થ ભટ્ટી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.