રસોઈમાં દાળ-ચોખાને જીવાતોથી બચાવવા માટે લીમડાના સૂકા પાન, તજ, લસણ, કાળા મરી, અને દીવાસળીની ડબ્બીનો ઉપયોગ કરો. તેમજ આ બધા કુદરતી ઉપાયો જીવાતોને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.

dried neem leaves

રસોડામાં રાખેલા દાળ-ચોખામાંથી જીવાતોને દૂર કરવા અથવા જીવાતો લાગતા અટકાવવા માટે તમે તેમાં સૂકા લીમડાના પાન મૂકી શકો છો. તેમજ લીમડાના પાનની તીવ્ર સુગંધથી જીવાતો આપોઆપ બહાર નીકળી જશે. તે માત્ર ધ્યાન રાખો કે, આ પાન સંપૂર્ણપણે સૂકા હોવા જોઈએ, નહીંતર તે કઠોળ અને ચોખાને બગાડી શકે છે.

TAJ

રસોડાના મસાલાનો મહત્વપૂર્ણ ભાગ તજ, કઠોળ અને ચોખામાં આવેલી જીવાતોને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેની સુગંધથી જીવાતો ભાગવા લાગે છે. આ ઉપરાંત તમે દાળ-ચોખાની ડબ્બીમાં તજ મૂકી દો. આનાથી ક્યારેય જીવાતો નહીં લાગે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

LASAN

લસણ તેની તીવ્ર ગંધને કારણે રસોડામાં રાખેલી વસ્તુઓને સુરક્ષિત રાખી શકે છે. તેમજ લસણ જીવાતોને ભગાડવામાં મદદ કરે છે. આ માટે તમે દાળ-ચોખાના ડબ્બામાં લસણની કળીઓ નાખી દો. જ્યારે આ સુકાઈ જાય, ત્યારે તેને કાઢીને બીજી કળીઓ નાખી દો. આનાથી જીવાતો દૂર રહેશે.

Kala Mari 2

કાળા મરી માત્ર શાકભાજીનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે રસોડામાં આવતી જીવાતોને ભગાડવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ માટે તમે દાળ અને ચોખાના ડબ્બામાં કાળા મરીને કપડામાં બાંધીને વચ્ચે મૂકી દો. આનાથી ડબ્બામાં જીવાતો આવશે નહીં.

99 2

દીવાસળીની ડબ્બી પણ જીવાતોને ભગાડવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેમાં રહેલા સલ્ફરની મદદથી જીવાતો ભાગી જાય છે. આ માટે તમે દીવાસળીની ડબ્બીને બાંધીને ડબ્બામાં નાખીને રાખી દો. તેમજ આનાથી કઠોળ અને ચોખા સુરક્ષિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.