ગુજરાતમાં વધુ એકવાર સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો. જે ઘટનાની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સગીરાઓ સાથે થતા દુષ્કર્મની ઘટના પ્રકાશમા આવી રહી છે. ત્યારે સતત આવી ઘટનાઓ થતા લોકોમાં ચિંતા સાથે રોષનો માહોલ પણ સર્જાયો છે. તેમજ આજ રોજ સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. ત્યારે તેમાં અંદાજે 7 થી 8 શખ્શો દ્વારા 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના ઘટી હતી. તેમજ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર સગીરાના પરિવારજનએ થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે મહત્વની વાત એ છે કે થાનગઢમાં આવેલ પોલીસ સ્ટેશન નજીકમાં જ આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોમાં રોષ વધારે જોવા મળ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને સામૂહિક દુષ્કર્મ આચરનાર તમામ શખ્શોને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.