જો તમે તમારા આહારમાં ઘઉંની રોટલીને બદલે આ 3 લોટની રોટલીનો સમાવેશ કરો. તમને આનાથી માત્ર તમારું વજન જ નિયંત્રણમાં નહીં રહે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ રામબાણ ઈલાજ છે. તેમજ ખાસ કરીને ઠંડીમાં આ રોટલીઓ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

રાગી, જુવાર અને મકાઈની રોટલી ખાવી ખૂબ જ ફાયદાકારક

LOT 1

આ એટલા માટે કે આ બધા લોટમાં ઉચ્ચ ફાઈબર હોય છે અને આ બધા ગ્લુટેન ફ્રી હોય છે, જે ઘણી રીતે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

મલ્ટીગ્રેન લોટની સૌથી મોટી વાત એ છે કે, તેમાં ગ્લુટેન હોતું નથી, એટલે કે જ્યારે તમે તેની રોટલી ખાશો ત્યારે તમારું બ્લડ સુગર અચાનક વધશે નહીં, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં ઉચ્ચ ફાઇબર હોય છે. આ દરમિયાન તે કબજિયાતમાં પણ રામબાણ માનવામાં આવે છે, તે પેટને સાફ કરે છે.

મલ્ટીગ્રેન લોટમાં ઉચ્ચ માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જેમ કે, વિટામિન A, B ઓમેગા-3 ફેટી એસિડ જે તમારા મગજ અને આખા શરીરના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ તે પોષણની ઉણપને પૂર્ણ કરે છે અને શરીરને ખૂબ જ મજબૂત બનાવે છે. આ સાથે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, જે સ્નાયુઓની વૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.