દિવાળીના તહેવારને લઈને ગુજરાત ST નિગમ સજ્જ છે. ત્યારે મુસાફરોને સુવિધા માટે બસની 8,340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરશે. તેમજ ST નિગમની ઓનલાઈન અને કરંટ બુકિંગ કરી શકશે. દિવાળીના તહેવારને લઈ લોકો પોતાના વતન જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે એડવાન્સ બુકિંગના કારણે ટ્રેન અને બસમાં ફુલ બુકિંગ થઈ જાય છે. આ દરમિયાન રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. તો બીજી તરફ ખાનગી બસના ભાડા વધી જતા હોય છે. ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે ST નિગમ દ્વારા દિવાળીની તહેવારને લઈ વધારાની બસો દોડાવશે.

“ST નિગમ દ્વારા રોજના 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે. તેમજ તહેવારો તેમજ ધાર્મિક મેળાઓમાં વધારાની ST બસ દોડાવી વિશેષ સુવિધા પૂરી પાડે છે. તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જિલ્લામાંથી બહોળી સંખ્યામાં સુરતમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા છે. જેઓ દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે. જેને લઈ ST નિગમ દ્વારા પણ સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.”

આ દરમિયાન તેમણે જણાવ્યુ છે કે, “સુરત વિભાગ દ્વારા 26થી 30 ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર તરફ 2200 બસોનું સંચાલન કરશે. તેમજ રાજ્ય ભરના વિવિધ રૂટો ઉપર એક્સ્ટ્રા સર્વિસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ST નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે.”

તેમજ ચાલુ વર્ષે સુરતથી 2200 બસો, દક્ષિણ મધ્ય ગુજરાતમાંથી 2900 બસો, સૌરાષ્ટ્ર કચ્છ માંથી 2150 બસો અને ઉત્તર ગુજરાતમાંથી 1090 જેટલી બસો, કુલ 8340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.