• દેશભરમાં મહાપાલિકાઓ માટે ફરિયાદ નિવારણ પધ્ધતી અંગે એક જ નંબર રહેશે: જૂનો નંબર-2450077 બે મહિના ચાલુ રહેશે
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ (કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 

હાલમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદની નોંધણી માટે વર્ષ 2008 થી અમીનમાર્ગ ખાતે 24ડ્ઢ7 કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલું છે. જેમાં વાર્ષિક 3.75 લાખ ફરિયાદ નોંધવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લેન્ડલાઈન નંબર 0281-2450077 કે જેમાં (05 હન્ટીંગ લાઈન સામેલ છે) તેમજ ટોલ ફ્રી નંબર 1800-123-1973 પર શહેરના નાગરિકો ફોન દ્વારા તેઓની મહાનગરપાલિકાની સેવાઓ અંગે ફરિયાદ નોંધાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં મુકેલ છે. જૂના નંબર બે મહિના કાર્યરત રહેશે.

ભારત સરકાર દ્વારા દેશની તમામ મહાનગરપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર 0281-2450077 તેમજ ટોલ-ફ્રી નંબર 1800-123-1973ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે.

સમગ્ર દેશમાં એક જ શોર્ટ કોડ નંબર 155304 દ્વારા મહાનગરપાલિકાઓની સેવાઓ અંગેની ફરિયાદોની નોંધણી કરાવી શકાશે.

નંબર 155304 ને કેટેગરી-1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે. આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાતપણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે. અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે એસટીડી કોડ પર પણ અવેલેબલ થશે.

આ ઉપરાંત કોલ સેન્ટરની હાલની સેવાઓને રાજકોટ મહાનગરપાલિકાના પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 યુઝર્સ લાઇન) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.

આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973 ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી, સરળતાથી નોંધાવી શકશે.

આ ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,શાસકપક્ષદંડક મનિષભાઈ રાડીયા, પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર ડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, ડો.રાજેશ્રીબેન ડોડીયા, જ્યોત્સનાબેન ટીલાળા, બિપીનભાઈ બેરા, નરેન્દ્રસિંહ વાઘેલા, રાજકોટ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગના ડાયરેક્ટર આઈ.ટી. સમીર ધડુક, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, પ્રોગ્રામર ભાવેશ શાહ, કોમ્પ્યુટર વિભાગના તથા કોલ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.