ભરૂચ: ગ્રામીણ વિકાસ કાર્યક્રમોનું નિયમિત નિરિક્ષણ કરવા તેમજ તેની વિગતોનો તાગ મેળવવા માટે ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના અખોડ ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટ,સામૂહિક શોકપીટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ , વ્યક્તિગત શોકપીટ , તેમજ ગરિમા સેન્ટર સખી મંડળની બહેનોના વિવિધ ઘટકવાર એસેટની મુલાકાત યોજવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન કમિશનર -વ-સચિવ ગ્રામ વિકાસ ગાંધીનગર, મનીષાચંદ્રા અને કમિશનર વિશાલ ગુપ્તા, ડી.ડી.ઓ યોગેશ કાપસે, નિયામક નૈતિકા.એચ.પટેલ, ટી.ડી.ઓ  ધ્રુવ પટેલ, .સરપંચ નરેન્દ્રસિંહ એલ.સોલકી, ડી.સી એસ.બી.એમ મુલાકાત દરમિયાન જિલ્લા તથા તાલુકા કક્ષાના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

01 21

અત્રે ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી કે ગ્રામીણ વિસ્તારમાંથી ફક્ત કચરો એકત્ર કરી સાફ-સફાઈ કરવાથી સ્વચ્છતાનો હેતુ સિદ્ધ નથી થઈ શકતો. કેમકે જ્યાં સુધી આ કચરાનું યોગ્ય નિકાલ કે વ્યવસ્થાપન કરવામાં ના આવે ત્યાં સુધી એ કચરો ફરીથી ગંદકીનું કારણ બની શકે છે. આથી જિલ્લાઓમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરાના યોગ્ય વ્યવસ્થાપન હેતુ કંપોસ્ટ પીટ અને સેગ્રીગેશન શેડ બનાવવામાં આવે છે. સ્વચ્છતાના ભાગરૂપે એકત્ર કરવામાં આવેલો કચરાના વ્યવસ્થાપન માટે આ કંપોસ્ટ પીટ કે સેગ્રીગેશન શેડ ખૂબ અગત્યના સંસાધનો છે. કે જ્યાં સૂકા તથા ભીના કચરા માટે યોગ્ય વ્યવસ્થા કરી કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. આમ સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનો તાગ મેળવવા નેશનલ મોનિટર્સની ટીમે ભરૂચ જિલ્લાની લીધી મુલાકાત હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.