Gandhinagar :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા 7મી ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. તેમજ ગુજરાતની ધુરા સંભાળતાં જ તેઓએ સૌને વિકાસનો મંત્ર આપી સતત વિકાસના પથ પર આગળ વધતા રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ અનેક પડકારો વચ્ચે વિકાસયાત્રાને ધબકતી રાખી છે. તેમજ તેઓના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે તા 7થી 15મી ઓક્ટોબર દરમિયાન ભારત વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દૃશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યું છે, રાત-દિવસનો અલગ નજારો નજરે પડી રહ્યો છે.

સરદાર પટેલની પ્રતિમા પર પ્રોજેક્શન મેપિંગ શોનું આયોજન

121

PM મોદીના દૂરદેશી વિચારોના કારણે નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભ પટેલની સૌથી ઊંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણાં ઉમેરવામાં આવ્યાં છે. તેમજ કોઈ પ્રવાસી અહીં આવે તો 3 દિવસ નિરાંતે તમામ નજરાણાંની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સરદાર પટેલની પ્રતિમા પર સાંજે પ્રોજેક્શન મેપિંગ શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. ત્યારે હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને અન્ય પ્રકલ્પોને રોશનીના શણગારથી સજાવી પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે.

રંગબેરંગી લાઈટની એકતાનગરમાં રોશની

122

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર વલ્લભ પટેલના સ્ટેચ્યુની સાથે પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર મનમોહક રંગબેરંગી લાઇટિંગ લગાડવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓને રાત્રિનો એક અલગ જ લાઇટિંગ વાળો નજારો જોવા મળી રહ્યો છે. તેમજ લાઇટિંગની ભવ્યતાથી ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સર્કિટ હાઉસને પણ લાઈટિંગથી સજાવામાં આવ્યું

123 1

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે, આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથોસાથ વનરાજીથી આચ્છાદિત ટેકરી પર આવેલું VVIP સર્કિટ હાઉસ જ્યાંથી પ્રવાસીઓ રાત્રિ રોકાણ કરી એકતાનગરનો આહલાદક નજારો નિહાળી શકે છે. તે સર્કિટ હાઉસને પણ રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવ્યું છે. તેમજ રાત્રિના સમયે એકતાનગરના માર્ગ ઉપરથી પસાર થતા પ્રવાસીઓ નર્મદા મૈયાના કિનારે આધ્યાત્મિક દિવ્યતા સાથે એકતાનગરની ભવ્યતાનો વિશેષ અનુભવ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.