સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં ખાદ્ય તેલની આયાત વાર્ષિક ધોરણે 29 % ઘટીને 10,64,499 ટન થઈ છે. તેમજ ક્રૂડ ઓઈલની સાથે રિફાઈન્ડ પામ ઓઈલની ઓછી આયાતને કારણે ખાદ્યતેલની આયાતમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ખાદ્યતેલ ઉદ્યોગ પાસેથી મળેલા ડેટા પરથી આ માહિતી મળી છે. ત્યારે ગયા વર્ષે આ જ મહિનામાં ખાદ્યતેલોની આયાત 14,94,086 ટન હતી.

તેલની આયાતમાં આટલો ઘટાડો

સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEAI) એ શુક્રવારે સપ્ટેમ્બર માટે વનસ્પતિ તેલના આયાત ડેટા જાહેર કર્યા હતા. ત્યારે સપ્ટેમ્બરમાં બિન-ખાદ્ય તેલની આયાત વાર્ષિક ધોરણે 57,940 ટનથી ઘટીને 22,990 ટન થઈ છે. ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં વનસ્પતિ તેલની આયાત 30 % ઘટીને 10,87,489 ટન થઈ છે, જે એક વર્ષ અગાઉ 15,52,026 ટન હતી.

ઘટાડાનું કારણ શું છે?

SEAI ડેટા દર્શાવે છે કે ખાદ્ય તેલ શ્રેણીમાં ક્રૂડ પામ ઓઈલની આયાત આ વર્ષે સપ્ટેમ્બરમાં ઘટીને 4,32,510 ટન થઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 7,05,643 ટન હતી. બીજી તરફ રિફાઈન્ડ પામ ઓઈલની આયાત 1,28,954 ટનથી ઘટીને 84,279 ટન થઈ છે. ક્રૂડ સનફ્લાવર ઓઈલની આયાત પણ 3,00,732 ટનથી ઘટીને આ 1,52,803 ટન થઈ છે. SEAIએ જુલાઈ-ઓગસ્ટ દરમિયાન વધારાની આયાત અને માંગના અભાવને કારણે આયાતમાં થયેલા ઘટાડાને જવાબદાર ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં બંદરો પર સ્ટોક વધ્યો હતો. આ ઉપરાંત ભાવની વધઘટને કારણે આયાતકારો સાવધ બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.