Navratri : દુર્ગાજીનું સાતમું સ્વરૂપ માતા કાલરાત્રિ છે. તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રિ તરીકે નામના પામ્યાં છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાલરાત્રિને ઉત્પન્ન કર્યાં હતાં. તેમજ તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભકારી પણ કહેવાય છે. આ દરમિયાન માન્યતા છે કે માતા કાલરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે, તેમજ માતા કાલરાત્રિ પરાશક્તિઓની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતાં છે, માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહબાધાઓ દૂર થઈ જાય છે. આ સાથે ભક્તોની રક્ષા માટે દેવી દુર્ગા ભયાનક કાળરાત્રિના સ્વરૂપમાં પ્રકટ થયાં હતાં. તેમના 4 હાથ અને 3 આંખ છે. તેમનો રંગ કાળો છે. તેથી તેઓ ભયંકર અને ઉગ્ર સ્વરૂપમાં હોય છે. તેમના નાકથી આગ પ્રકટ થાય છે. તેઓ ગધેડાની સવારી કરે છે. અને તેમની પૂજા કરવાથી દરેક પ્રકારનાં દુઃખ દૂર થાય છે.

અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગા કાલરાત્રિ બન્યાં

દેવી કાલરાતત્રીનું શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે, તેમના વાળ વિખેરાયેલા હોય છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા છે. તેમને 3 નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નીકળતો હોય છે. કાલરાત્રિનું વાહન ગધેડો છે.

માતા કાલરાત્રિની ઉત્પત્તિની કથા

KALRATRI

કથા પ્રમાણે દૈત્ય શુભ-નિશુભ અને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. એનાથી ચિંતિત થઈને બધા દેવતાગણો શિવજીની પાસે ગયા, ત્યારે શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનો વધ કરી પોતાના ભક્તોનું રક્ષણ કરવા કહ્યું. આ દરમિયાન શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુભ-નિશુભનો વધ કર્યો, પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો તેના શરીરમાંથી નીકળેલા રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયાં. અને એને જોઈને દુર્ગાજીએ પોતાના તેજથી કાલરાત્રિને ઉત્પન્ન કર્યા. ત્યારબાદ દુર્ગાજીએ રક્તબીજને માર્યો તે તેના શરીરથી નીકળતા રક્તને કાલરાત્રિએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગળું કાપતાં-કાપતાં રક્તબીજનો વધ કર્યો.

દેવી કાલરાત્રિની જ પૂજા શા માટે કરવામાં આવે છે?

દેવી કાલરાત્રિનું સ્વરૂપ ખૂબ વિકરાળ છે. તેમના મસ્તક પર શિવજીની જેમ ત્રીજી આંખ છે. આ ત્રીજું નેત્ર આપણા અંતર્મનનું પ્રતીક છે. એનો સ્પષ્ટ અર્થ છે કે જ્યારે આપણે ભક્તિના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે ઇશ્વરની નજીક પહોંચી જઇએ છીએ તો ત્રીજી આંખ એટલે અંતર્મન જ આપણને યોગ્ય માર્ગ દેખાડે છે. તેમજ જ્યારે કોઈ સાધકની સાથે આવી સ્થિતિ થઈ જાય તો સમજી લેવું જોઈએ કે તે ભક્તિના છેલ્લા તબક્કાની તરફ છે, જ્યાંથી તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

માતાને ગોળનો ભોગ પ્રિય છે

સપ્તમી તિથિના દિવસે ભગવતીની પૂજામાં ગોળનો નૈવેદ્ય અર્પિત કરીને બ્રાહ્મણને આપવો જોઈએ.

માતા કાલરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવી જોઈએ-

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी ॥

કાલરાત્રિનો બીજમંત્ર

ऊं ऐं ह्रीं क्लीं कालरातै नमः

માતા કાલરાત્રિનો તાંત્રિક મંત્ર

ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नमः

क्रीं क्रीं क्रीं ह्रीं ह्रीं हूं हूं क्रीं क्रीं ह्रीं ह्रीं हूं हूं स्वाहा

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.