• ગુજરાત કોંગ્રેસના પ્રભારી પ્રફુલ વાસનિક રાજકોટમાં:  બેઠકોનો ધમધમાટ
  • લાંબા સમયથી સત્તામાં હોવાથી ભાજપના શાસકોને અહંકાર આવી ગયો છે:શક્તિસિંહ ગોહિલ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  જૂઠુ બોલવામાં પારિતોષિક મળવું જોઈએ: મુકુલ વાસનિકdemand
  • નાની બાળાઓ અને સગીરાઓ ગુજરાતમાં સલામત નથી’ અમિતભાઈ ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના  રાષ્ટ્રીય પ્રભારી, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને રાજયસભાના  સાંસદ  મુકુલ વાસનિક આજે રાજકોટના સંગઠન લક્ષી પ્રવાસે છે. સૌરાષ્ટ્રભરનાં નેતાઓ સાથે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.  સ્થાનીક સ્વરાજયની ચૂંટણી પૂર્વ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસના સંગઠન માળખાને મજબૂત કરવા પર ધ્યાન  કેન્દ્રીત કરવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ  અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે રાજકોટમાં ધામા નાખ્યા છે. સંગઠન લક્ષી બેઠકો ચાલી રહી છે.

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમા  નવાજ ઉત્સાહનો સંચાર થયો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ સતત ત્રીજી વખત રાજયની તમામ 26 બેઠકો જીતવાનું સપનું રોળી નાખ્યું છે. બનાસકાંઠા બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. આગામી ડિસેમ્બર માસમાં ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય તે પૂર્વ રાજયમાં સંગઠન માળખુ મજબૂત કરવા કોંગ્રેસે કમર કસી છે.

પત્રકાર પરિષદ સંબોધતા મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે,- ગુજરાત કોંગ્રેસના સંગઠન બાબતે લાંબા સમયથી શહેર જિલ્લા પ્રમુખો અને કોંગ્રેસ નેતાઓ સાથે ચર્ચાનો દોર ચાલી રહ્યો  છે.ગુજરાતના વિવિધ પ્રશ્નોમાં કોંગ્રેસની ભૂમિકા શું હશે અને કયા પ્રકારના કાર્યક્રમો આપવા તે અંગે ચર્ચા વિચારણા થશે ગુજરાત એ દેશના વડાપ્રધાનનું રાજ્ય પણ ગણાય છે ગુજરાતના કે કેન્દ્રના જે કાંઈ નરેન્દ્ર મોદીએ વચનો આપ્યા છે તે પાળી બતાવ્યા નથી ઈમાનદારીથી વચનો પાળવા જોઈએ મોદી જૂઠ બોલવામાં વિશ્વમાં નંબર વન છે જૂઠ બોલાવવામાં તેને પારિતોષિક દેવો જોઈએ હાલ સમગ્ર ભારતમાં બેરોજગારી, મોંઘવારી મહિલા સુરક્ષા, ખેડૂત આત્મહત્યાઓ સહિતની ઘટનાઓમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે દેશમાં સરકારી આંકડા પર રોજ 83 મહિલાઓ પર રેપ થાય છે 26% માં સજા થાય છે બંગાળ કે કલકત્તામાં રાષ્ટ્રપતિ જો બનાવને વખોડી કાઢતા હોય તો ગુજરાતમાં સુરેન્દ્રનગર દાહોદ તેમજ અન્ય જિલ્લાઓમાં મહિલાઓ કે બળાત્કાર, છેડતી ઉત્પીડન મા ગુજરાતમાં થાય છે ત્યારે કેમ એક શબ્દ પણ બોલતા નથી. ગુજરાત એ નરેન્દ્ર મોદીનું રાજ્ય છે અને ગ્રહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતના છે ત્યારે દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ માં ચિંતાજનક વધારો ગુજરાતમાં થયો છે. 2014 થી 2024 સુધીમાં 1,17,000 ખેડૂતો, યુવાનો એ બેરોજગારી અને સ્વાસ્થ્ય સેવાઓ કથળી હોવાને કારણે આત્મહત્યા કરી છે. અંકલેશ્વરમાં એક કંપનીમાં નોકરી માટે ભગદોડ મચી ગઈ હતી. ઇઝરાયેલ માં હાલ યુદ્ધ ચાલુ હોવા છતાં ભારતના બેકારોને રોજગારી માટે ત્યાં જવું પડે છે. ભારત કા સંવિધાન શાસકો બદલવા માંગે છે પરંતુ છેલ્લે ચૂંટણીમાં જે નરેન્દ્ર મોદીની સરકાર હતી. અને શાસકો જણાવતા હતા અબકી બાર 400 કે પાર પરંતુ ભારતના મતદાતાઓએ 400 બેઠકનું સુરસુરીયું કરી દીધું છે અને ટેકા વાળી સરકાર બનાવવાની ફરજ પડી છે સંસદીય લોકશાહીની વ્યવસ્થા ખોરંભે પડી છે. આ સરકાર ઉદ્યોગપતિની સરકાર છે અને આગામી દિવસોમાં રાહુલ ગાંધીનું ગુજરાત કબજે કરવાનું સપનું સાકાર થાય તે માટે અમે સતત પ્રયાસો કરતા રહેશું.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,  હાલ જુદા જુદા જિલ્લાઓમાં જે મહત્વના આગેવાનો છે તેઓની સાથે કેટેગરી વાઈસ ઝોન બનાવી ગુજરાત કોંગ્રેસનું સંગઠન વધુને વધુ મજબૂત બને એ માટે શું શું કરવું જોઈએ એ માટે વિચાર વિમસ થાય એ દ્રષ્ટિ થી રોજના ચાર થી પાંચ જિલ્લાઓ સાથે મીટીંગો થાય છે તેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તેમજ આજે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ ચાર જિલ્લાઓની બેઠકમાં કોંગ્રેસના સંગઠન અંગે ચર્ચાઓ થઈ  છે.ભાજપની સત્તા લાંબા સમયથી ચાલે છે ભાજપને અહંકાર આવી ગયો છે બે મિનિસ્ટરોના સામસામેની વાતો તે ગુજરાતની જનતા પૂરી રીતે વાકેફ છે ગુજરાતની જનતા જાગે છે કોઈ સભ્ય બનવા રાજી નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે ગુજરાતમાં ડ્રગ્સ સૌથી વધુ આવે છે કરોડો રૂપિયાના ડ્રગની હેરાફેરી કરવામાં ગુજરાત નંબર વન બન્યું છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફુલિયો ફાલ્યો છે. ભ્રષ્ટાચારીઓ અને દુષ્કર્મના આરોપીઓ ના કનેક્શનનો ભાજપના આગેવાનો સાથે મળે છે દાહોદમાં નાની દીકરીની હત્યા કરવામાં આવી તે આચાર્ય ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલ હોય તે પ્રકારના પુરાવા મળ્યા હતા દીકરીઓ પર દુષ્કર્મ થતું જાય છે જેમાં કોણ જવાબદાર નાની દીકરીઓ પર અત્યાચારો થાય છે ભાજપના પેટનું પાણી હલતું નથી ઓગસ્ટમાં અતિવૃષ્ટિ ની સહાય હજુ સુધી ખેડૂતોને મળી નથી કોંગ્રેસના શાસનમાં જેટલું નુકસાન એટલું વળતર પરંતુ હાલ આ સરકાર આ અમલવારી કરતી નથી વર્ક ઓર્ડર માટે ટકાવારીના ચેક ભાજપના ફંડમાં આપવા પડે છે. નવે નવા બનાવેલા કરોડો રૂપિયાના ડામરના પોપડા ઉખડી જાય છે એરપોર્ટનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ભ્રષ્ટાચાર પરાકાષ્ઠા વટાવી દીધી છે આગામી દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર લોકોના પ્રશ્નો અને ભાજપના ભ્રષ્ટાચાર અંગે શેરીઓમાં ઉતરશે અને આ ભ્રષ્ટાચારી સરકારને જળમૂળમાંથી આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિધાનસભાઓની ચૂંટણીમાં સંગઠન વધુ મજબૂત બનાવી ઉખાડીને ફેંકી દેશું.

વિધાનસભાના વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે સલામત ગુજરાતની વાતો હવામાં છે આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં દારૂ તો ખુલ્લેઆમ વેચાય છે અને પીવાય પણ છે પણ ડ્રગ જ્યારે ગુજરાતમાં ટ્રેડિંગ ગુજરાતનું હબ બન્યું છે આ માફિયાઓના કનેક્શનનો કમલમ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં બહેન, દિકરીઓની સલામતી નથી દરેક માતા પિતાને નવરાત્રીમાં અગાઉના શાસનમાં જ્યારે ગુજરાતમાં મધરાતે પણ દીકરીઓ નવરાત્રિ પૂરી કરીને ઘેર પાછી ફરતી ત્યારે કોઈ ચિંતા હતી નહીં પરંતુ હાલના શાસકો ના રાજમાં દીકરીઓ અને સગીરાઓ પર વધતા જતા ગેંગરેપ અને દુષ્કર્મ ની ઘટનાઓમાં પણ વધારો થયો છે નવરાત્રીમાં પાંચ વર્ષની સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા માં દીકરી પર બળાત્કાર થયો તેના હજુ સુધી એફએસએલ રિપોર્ટ આવ્યો નથી આજે ગ્રહ રાજ્ય મંત્રી રાજકોટમાં છે અને ગુજરાતમાં સવાર સુધીના રમવા અંગેના ભાષણો કરે છે પરંતુ જે દીકરીઓને સગીરાઓ પર થતા બળાત્કારમાં તેઓની મુલાકાત લેવાનું તેમને સુજતું નથી મહેસાણા વડોદરા રાજકોટ આટકોટ ખાતે બળાત્કારની ઘટનાઓ બની છે પોલીસ અને પ્રશાસનનો ડર રહ્યો નથી આજે રાજકોટમાં જ્યારે ગ્રહ રાજ્ય મંત્રી હોય ત્યારે ધાંગધ્રા માં દીકરી પર થયેલા બનાવો અંગે પણ કહેવું પડે ખાલી ભાષણો આપવાથી કશું થતું નથી બહેન દીકરીઓની સલામત નથી જવાબદારી નિભાવવામાં આ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે ગુજરાતમાં મુખ્યમંત્રી ધરણા પર બેસી જાય પણ ગુજરાતમાં થતી દીકરીઓ પરના દુષ્કર્મ અને સગીરા પરના ગેંગરેપ માં મુખ્યમંત્રી કેમ કશું કરી શકતા નથી ગુજરાતની સ્થિતિ અને દિવસે કથળી રહી છે ત્યારે આગામી દિવસોમાં આ અંગે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમો આપશે.

આજે કોંગ્રેસ ટોચના નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે. ગુજરાત  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી મુકુલ વાસનીકનું ગઈકાલે સાંજે જ રાજકોટ ખાતે આગમન થઈ ગયું હતુ. પ્રથમ વખત રાજકોટ આવેલા પ્રભારીને કાર્યકરોએ ઉમળકાભેર વધાવી લીધા હતા આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને   રાજયસભાના સાંસદ શકિતસિંંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા પણ રાજકોટમાં પધાર્યા છે.

આજથી બે દિવસ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સવારે 10 કલાકે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં મુકુલ વાસનિકે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી ભવ્ય  જીતના વધામણા કર્યા હતા અ ને ભાજપની કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં ભાજપના ગઢના કાંગરા ખેરવવા કોંગ્રેસ દ્વારા સંગઠન માળખાને મજબૂત બનાવવામાં આવશે તેવું પણ જણાવ્યું હતુ. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક  સ્વરાજયની ચૂંટણી કોંગ્રેસ પુરી તાકાતથી  લડશે તેવો પણ હુંકાર કર્યો હતો.

આજે સવારે 11 થી 3 કલાક દરમિયાન રાજકોટ, જૂનાગઢ અને મોરબી શહેર અને જિલ્લા ભાજપના નેતાઓ, સંગઠનના હોદેદારો અને  પદાધિકારીઓ સાથે સતત બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. રાજયની ભાજપ સરકારની નિષ્ફળતાને પ્રજા સમક્ષ ઉજાગર કરવા અને કોંગ્રેસના સંગઠન માળખાને મજબૂત કરવા તમામ ભેદભાવ ભૂલીને એકજૂટ બની કામે લાગી જવાની હાંકલ કરવામાં આવી હતી. પ્રજા કોંગ્રેસની વિચારધારાને સ્વીકારવા તૈયાર છે. માત્ર આપડે મહેનત કરવાની આવશ્યકતા છે. કાર્યકરો અને નેતાઓને કામે લાગી જવા હાંકલ કરી હતી. આગામી દિવસોમાં સંગઠન માળખાને મજબૂત કરવા માટે ખાસ અભિયાન જાહેર કરવામાં આવશે.

દરમિયાન આવતીકાલે બૂધવારે મુકુલ વાસનિક, શકિતસિંહ ગોહિલ અને  અમિત ચાવડા સહિત નેતાઓ અમરેલી જિલ્લાના ધારી ખાતે લાયનલોજ રિસોર્ટ ખાતે અમરેલી, ભાવનગર, અને બોટાદ શહેર અને જિલ્લાના સંગઠનના હોદેદારો, સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. કાલે બપોરે ધારીના નંદેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ઈકો સેન્સેટીવ ઝોનના પીડિત ખેડૂતો સાથે કોંગ્રેસના નેતાઓ સંવાદ કરશે. ત્યારબાદ બુધવારે સાંજે ચલાલા ખાતે શ્રી દાન મહારાજની જગ્યામાં દર્શન કરશે અને પૂ. વલકુબાપુના આશિર્વાદ લેશે ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ સાવરકુંડલા જશે જયાં સુફી સંત શ્રી દાદાબાપુનું અવસાન થતા તેઓનાં પરિવારજનોને સાત્વના પાઠવશે.

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસને મળેલી બહુમતીથી કાર્યકરોમાં નવાજ ઉત્સાહનો સંચાર થયો છે. કોંગ્રેસની વિચારધારાને વધુ મજબૂત બનાવવા નેતાઓની હાંકલને કાર્યકરોએ વધાવી લીધી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.