કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે શારદીય નવરાત્રિમાં ગુજરાત મુલાકાતે આવતા હોય છે. શારદીય નવરાત્રિના બીજા નોરતામાં તેમના વતન માણસા ખાતે માં બહુચર માતાના આરાધના પરિવાર સાથે કરતા હોય છે. દર વર્ષે બીજા નોરતે કુળદેવી બહુચર માતાના આરતી પૂજન માટે તેઓ આવતા હોય છે. ત્યારે આ વર્ષે ત્રીજી તારીખથી શારદીય નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે. આ સાથે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ 2 દિવસ ગુજરાત મુલાકાતે પરિવાર સાથે રોકાશે.

13 જેટલા કાર્યક્રમમાં રહેશે હાજર

4 તારીખના રોજ તેઓ બીજા નોરતે માણસા ખાતે સાંજે પરિવાર સાથે કુળદેવી દર્શન કરી પૂજા-અર્ચના કરશે. તેમજ મોડી રાત્રે તેઓ અમદાવાદ આવશે અને 3 ઓક્ટોબરે વિભિન્ન કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. આ સાથે ત્રીજી ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 જેટલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમાં 13 જેટલા કાર્યક્રમોમાં તેઓ તેમના સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

ગાંધીનગર લોકસભામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

3 તારીખે સાણંદ ધારાસભ્યના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તથા બપોરે 12 કલાકે કનુ પટેલના કાર્યાલયને ખૂલ્લું મુકશે. તેમજ 3 તારીખે અમદાવાદ CP કચેરીનું લોકાર્પણ કરશે. તેમજ ભાડજની શાળાનું લોકાર્પણ સાથે જાહેર સભાનું આયોજન કરશે. આ સાથે 3 તારીખે અમદાવાદ GMDC ખાતે અમિત શાહ હાજર રહેશે. વાઈબ્રન્ટ નવરાત્રીના કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે.  તેમજ અમદાવાદ મનપાના કરોડોના પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે. અને  4 તારીખે ADC બેંકના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.

ADC બેંકની સ્વર્ણિમ શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપશે

સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં હાજરી આપશે. જેમાં ગાંધીનગર લોકસભામાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેમજ અડાલજ ખાતે નવનિર્મિત આરોગ્ય ધામના લોકાર્પણ તથા ૩ તારીખે બપોરે 12 કલાકે સાણંદ ધારાસભ્ય કનું પટેલના કાર્યાલયને ખુલ્લું મૂકશે. આ સાથે અમદાવાદ કોર્પોરેશનના કરોડોના પ્રોજેક્ટના ખાત મુહર્ત કરશે. અને 4 તારીખે સવારે 11 કલાકે ADC બેંકની સ્વર્ણિમ શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપશે. તથા સાંજે માણસા કુળદેવીના દર્શને જશે તથા સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં પણ હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.