• માઁ પાવા તે ગઢવીથી ઉતર્યા, હાલોને માડી ગરબે રમાડું
  • ડી.જે. અકકી, કલાકાર હેમંત જોશી, હિના હિરાણી ગરબાની રમઝટ બોલાવશે: કાર્યક્રમની વિગત આપવા આયોજકોએ લીધી અબતકની મુલાકાત

ખેલૈયાઓ તો થઈજાવ રાજકોટના આંગણે સતત 9 મી વખત એસપી ક્લબ અને રાજકોટ અપડેટ ન્યુઝ જોરદાર ડીજે અને અધતન સાઉન્ડ સીસ્ટમ સાથે થનગનાટ મચાવે તેવું વેલકમ નવરાત્રી લઈને ધૂમ મચાવવા આવી ગયું છે, જેમાં તમને ગરબે રમવા માટે એક અનોખો જ આંનદ મળશે પારિવારિક વાતાવરણમાં તમે ગરબે ઝૂમી શકશો તેવું જાજરમાન આયોજન કરાયું છે. સાથે જ અહી બાઉન્સર સિક્યોરીટી પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. અને ખેલૈયાઓની તબિયતને પણ વધુ નિકટતાથી ધ્યાને રાખતા મેડીકલ સ્ટાફ વિથ એમ્બ્યુલન્સ પણ ખડે પગે રહેશે માટે તેની પણ ચિંતા કરાવાની રહેતી નથી માટે ખાસ આ વેલકમ નવરાત્રીમાં પધારવા રાજકોટવાસીઓને 2 જી ઓક્ટોબર અને બુધવારે  અનુરોધ છે. એસપી  ક્લબ અને રાજકોટ અપડેટ્સ ન્યુઝની ટીમ ની એક ખાસ વિશેષતા છે કે તેઓ દાંડિયામાં આવેલ તમામ એ તમામ રકમનો ઉપયોગ ગૌશાળાના લાભાર્થ સેવાના કાર્યમાં વાપરે છે, જે એક મહત્વની બાબત અને સનાતન ધર્મની કહી શકાય, આ કાર્યક્રમમાં ઝૂંપડપટ્ટીના બાળકો ટ્રેડિશનલમાં ગરબે ઝૂમશે અને લક્કી ફાઉન્ડેશનના સહયોગથી તમામને શ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે,તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જાજરમાન વેલકમ નવરાત્રીમાં ખેલૈયાઓને મોજ કરાવવા આઈપીએલ માં પ્લે કરનાર ડીજે અક્કી, સિંગર હેમંત જોશી હિના હિરાણી અને એન્કર દર્પના પંડિત ધૂમ મચાવશે, લાખેણા ઇનામોની વણજાર સાથે ભવ્ય થી ભવ્ય આયોજન એસપી ક્લબ અને રાજકોટ અપડેટ્સ ન્યુઝ દ્વારા ર ઓક્ટોબર બુધવારે સાંજે 7 કલાકે અબતક સુરભી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે, આ વેલકમ નવરાત્રીની શોભા વધારવા રાજકોટના ગરબાના મોટાભાગના પ્રિન્સ અને પ્રિન્સેસો ભાગ લેશે, આ સંપૂર્ણ કાર્યક્રમનો લાઈવ ટેલિકાસ્ટ તરીકે રાજકોટ અપડેટ્સ ન્યૂઝ, સીટી ન્યૂઝ,અબતક ચેનલ, ગુજરાત ન્યૂઝ, તેમજ અવર રાજકોટમાં લાઈવ પ્રસારણ જોઈ શકાશે, આ કાર્યક્રમના આયોજનના ચીફ ઓર્ગેનાઇઝર  પ્રકાશભાઈ રાવરાણી,  સંદીપભાઈ લખતરીયા, રણજીતસિંહ રાઠોડ, તેમજ ઓર્ગેનાઇઝર જયેશભાઈ રાવરાણી, કેતનભાઈ લખતરીયા, પંકજભાઈ સખીયા, વિપુલ રાઠોડ, વિક્રમ વાંક, હેમેન્દ્રસિંહ જાડેજા, સુરુભા જાડેજા, જય બોરીચા, કેવલ રાઠોડ જય મૃગેશ્ર્વર જયેશ સાટીયા, નૈનેશ વાઘેલા પ્રદીપભાઈ ચૌહાણ, ડો. મનિષ ગોસાઈ સહિતના જોડાયેલા છે તથા અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.  તેમજ ખાસ આમંત્રિત મહેમાનો દીપ પ્રગટ્યમાં  વિજયભાઈ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), પીન્ટુભાઈ ખાટડી (યુવા ભાજપ અગ્રણી),  ભાનુબેન બાબરિયા (કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્ય) નયનાબેન પેઢડીયા (મેયર),  પ્રભવ જોશી (કલેકટર રાજકોટ ),  બ્રિજેશ ઝા (પોલીસ કમીશ્નર-રાજકોટ) સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

અબતકની મુલાકાત દરમિયાન ડો. મનિષ ગોસાઈએ જણાવ્યું હતુ કે અમે સતત 9માં વર્ષે વેલકમ નવરાત્રીનું જાજરમાન આયોજન કર્યું છે. અંદાજે આઠ હજાર ખેલૈયાઓ કલાકારોનાં  સંગાથે  મનમૂકીને  ગરબાની રમઝટ બોલાવે છે.  ગ્રાઉન્ડમાં  બાઉન્સર સિકયોરીટી સાથે એમ્બ્યુલન્સ અને મેડીકલ સ્ટાફની સુવિધા સહિતની તમામ તકેદારી રાખવામા આવે છે. અમે દાંડીયામાં આવેલ તમામ રકમનો ઉપયોગ ગૌશાળાના લાભાર્થે સેવાના કાર્યમાં વાપરીએ છીએ. સૌ ખેલૈયાઓ કોટુંબીક માહોલમાં  માની આરાધના  કરશે. આઈપીએલમાં પ્લે કરનાર ડી.જે. અકકી,  જાણીતા કલાકાર હેમંત જોશી અને એન્કર દર્પના પંડિત ધૂમ મચાવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.