સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 14 ઓક્ટોબરથી b.com, BA, અને BCA, સહિતની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી રોકવા માટે 120 સભ્યોની સ્કોડની ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત પેપરના બંડલ ખોલવા બાબતે ના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં b.com અને BA સહિતના અભ્યાસક્રમોની પરીક્ષા 14 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. ત્યારે આ બાબતે પરીક્ષાની ગાઈડલાઈન પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પરીક્ષામાં ચોરી રોકવા માટે યુનિવર્સિટી દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી છે અને 4 ઝોનની 120 સભ્યોની સ્કોડ ટીમની રચના કરવામાં આવી છે.

Screenshot 1 20

ત્યારે આ ટીમમાં પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે. તેમજ ભૂતકાળમાં ઘણી કોલેજમાં પેપરના બંડલ તોડવા મામલે જુદા જુદા પ્રકારની ફરિયાદો મળી રહી હતી. જેથી કોલેજોને પેપરના બંડલ તોડવા માટેના કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે યોગ્ય નિયમ મુજબ તમામ કોલેજોમાં એકસાથે પેપર ખુલે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ત્યારે અહી મહત્વની વાત એ છે કે, જે સેન્ટર ઉપર પરીક્ષા યોજાશે તે તમામ સેન્ટરોના CCTV કેમેરા ચાલુ રાખવામાં આવશે. તેમજ જોપ કેમેરા બંધ હશે તો આવા સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને પેનલ્ટીથી લઈને પરીક્ષા સેન્ટર રદ સુધીની કાર્યવાહી થઈ શકશે.

Screenshot

આ ઉપરાંત પરીક્ષાના સમયે પેપરના બંડલ તોડવા બાબતે કોઈ ફરિયાદ સામે ન આવે એટલા માટે પ્રોફેસરોએ આ બંડલ ખોલવાની કામગીરી સીસીટીવી કેમેરાની સામે કરવી પડશે અને પરીક્ષા દરમિયાન વીજકાપ ન થાય તે માટે તમામ કોલેજોએ જે તે એક વીજ કંપનીને પત્ર લખીને આ બાબતે માહિતી આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પરીક્ષા દરમિયાન અનેક વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા છે. ત્યારે આ બાબતે પણ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાય તો તેને 200થી લઈને 2000 સુધીનો દંડ કરવામાં આવતો હતો પરંતુ હવે આ રકમમાં વધારો કરાયો છે અને મિનિમમ દંડ 2500 થી લઈને 10,000 અને અમુક કિસ્સામાં 20,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે ચોરી કરતા પહેલા આ દંડની રકમ જાણીને વિદ્યાર્થી એકવાર અવશ્ય વિચાર કરશે કે તેની આ ભૂલ તેને આર્થિક નુકસાનની સાથે અભ્યાસમાં પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય એટલા માટે વિજ્ઞાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.