કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરાયેલા મુજબ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજ રોજ NPS વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવી છે. આ મુજબ  સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, સ્કૂલના બાળકો પણ લોન્ચ ઈવેન્ટમાં ભાગ લેશે. આ પ્રસંગે નાણામંત્રી NPS વાત્સલ્યને સબ્સ્ક્રાઇબ કરવા અને યોજના પુસ્તિકાનું વિમોચન કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે. આ ઉપરાંત કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર નવા સગીર ગ્રાહકોને વિતરિત કરવામાં આવશે. તેમજ NPS વાત્સલ્ય કાર્યક્રમ દેશભરમાં લગભગ 75 સ્થળોએ એક સાથે આયોજિત કરવામાં આવશે.

SOLAR

શું છે યોજના?

NPS વાત્સલ્ય મોદી સરકારની યોજના છે. તે બાળકોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લાવવામાં આવ્યું છે. આ સાથે નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે માતા-પિતા અને વાલીઓ આ પેન્શન યોજનામાં યોગદાન આપી શકે છે. તેમજ એકવાર બાળક પુખ્તવયનું થઈ જાય પછી યોજનાને એકીકૃત રીતે સામાન્ય NPS ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે. તેમજ NPS વાત્સલ્ય લવચીક યોગદાન અને રોકાણ વિકલ્પો પ્રદાન કરે છે. આ સાથે  માતાપિતાને બાળકના નામે વાર્ષિક રૂ. 1,000નું રોકાણ કરવાની મંજૂરી આપે છે.  તેમજ આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી  હેઠળ ચલાવવામાં આવશે.

NPS વાત્સલ્યના ફાયદા

NPS-વાત્સલ્ય એ એક નાણાકીય રોકાણ છે જે માતા-પિતા તેમના સગીર બાળકો વતી કરી શકે છે, તેમજ તેઓ પોતાની જાતે કમાવાનું અને રોકાણ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી તેમને નાણાકીય સહાય પૂરી પાડવાનો અર્થપૂર્ણ માર્ગ છે.

જાણો આ યોજનાના અન્ય ફાયદા-

નાની ઉંમરે રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ લઈને સમય જતાં નોંધપાત્ર વૃદ્ધિ થાય છે.

તમારા બાળકની નિવૃત્તિ માટે પૂરતી ઉંમર થાય ત્યાં સુધીમાં તેમની પાસે 1 મોટું નિવૃત્તિ ભંડોળ હશે.

નાની ઉંમરે બાળકોમાં બચતની આદતોને પ્રોત્સાહન આપો.

બાળકોને લાંબા ગાળા માટે બજેટનું મહત્વ સમજવામાં મદદ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.