રાજયમાં બીજીવાર મુખ્યમંત્રી તરીકે શાસનધુરા સાંભળનાર વિજયભાઈ રૂપાણીનું રાજકોટમાં સરગમ પરિવાર દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતુ સત્યમ પાર્ટી પ્લોટમાં યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, કિરીટભાઈ આદ્રોજા, સ્મિતભાઈ પટેલ, નરેશભાઈ લોટીયા વગેરેએ વિજયભાઈ રૂપાણીનું મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતુ.

આ પૂર્વે પોતાના પ્રવચનમાં ગુણવંતભાઈ વિજયભાઈના સરગમ કલબ સાથેના સંબંધો યાદ કર્યા હતા. અને કહ્યું હતુ કે કલબને હંમેશા વિજયભાઈનું માર્ગદર્શન મળતું રહ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કહ્યું હતુ કે, સરગમ જેવી સેવા સંસ્થાને કારણે જ રાજકોટમાં માનવતાના દર્શન થાય છે. સરગમના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સેવા માટે સતત દોડતા માણસ છે અને બીજા માટે પ્રેરણારૂપ પણ છે. વિજયભાઈએ એમ પણ કહ્યું હતુ કે હું અને ગુણવંતભાઈ વિરાણી હાઈસ્કુલમાં સાથે ભણ્યા છીએ અને અમે રમતગમતમાં પણ સાથે જ જોડાતા હતા તેમણે આ અભિવાદન બદલ સરગમ કલબનો આભાર પણ માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.