• જીના યહાં મરના યહાં ઈસકે સિવા જાના કહાં

ગીતો લખવા માટે તેની રચનાત્મક શૈલી અજીબ હતી, તેઓ ગીતો લખવા સવારે ચાર વાગે દરિયા કિનારે બેસી જતા હતા : 1950 થી 60 ના દાયકામાં અનેક ફિલ્મોમાં અર્થપૂર્ણ ગીતો લખ્યા : ફિલ્મી જીવનમાં 28 અલગ અલગ સંગીતકાર સાથે કામ કર્યું પણ સૌથી વધુ ફિલ્મ શંકર જયકિશન સાથે કરી

1949માં બરસાત ફિલ્મથી યાત્રા શરૂ કરી યહુદી, અનાડી અને બ્રહ્મચારીના ફિલ્મગીતોને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો: શૈલેન્દ્રએ દોઢ દાયકામાં અવિસ્મરણીય ગીતો આપીને માત્ર 46 વર્ષે ફાની દુનિયા છોડી ગયા હતા: ફિલ્મ ’જવેલ થીફ’માં રૂલા કે ગયા સપના તેનું અંતિમ ગીત હતું

હિન્દી ફિલ્મ જગતમાં ગીતકાર તરીકે શૈલેન્દ્ર નામ ખૂબ જ જાણીતું છે. આજે તેની જન્મ જયંતી નિમિત્તે તેના ગીતો યાદ કરીને તેને શ્રદ્ધાંજલિ આપીએ. તેઓ એક ક્રાંતિકારી અને સંવેદનશીલ ગીતકાર હતા. રાજ કપૂરની ફિલ્મ આવારા નું ગીત તેમણે ફિલ્મની વાર્તા સાંભળ્યા વિના જ લખી આપ્યું હતું, એ ટાઇટલ સોંગ આજે પણ દેશ-વિદેશમાં ખૂબ જ જાણીતુ છે. શૈલેન્દ્ર દેશની જનતાના કવિ હતા. એમણે લખેલા સુંદર ગીતો આજે પણ આપણે યાદ કરીએ છીએ તેમનું મૂળ

ભારતીય ફિલ્મ જગતમાં કવિ અને ગીતકાર શૈલેન્દ્ર સુંદર હિન્દી ફિલ્મી ગીતો આપ્યા હતા. 1950 થી 1960નો દશકો સૌથી સફળ રહ્યો. શૈલેન્દ્ર-હસરત જયપુરીની ગીતકાર જોડી અને શંકર જયકિશનનું સંગીત હોય એટલે સુંદર-મધુરા ગીતો હોય જ. ગાયક મુકેશનો સ્વર ને રાજકપુરની ફિલ્મ ગીતોને ચાર ચાંદ લગાવી દેતા.

30 ઓગસ્ટ 1923ના રાવલપીંડી પાકિસ્તાનમાં જન્મ થયો. તેઓ માત્ર 43 વર્ષે 14 ડિસેમ્બર 1966ના રાજે મુંબઈ ખાતે અવસાન થયું. માત્ર બે દશકાના તેના ગીતો આજે પણ લોકો યાદ કરી રહયાં છે. શૈલેન્દ્ર એ 1949માં રાજકપુરની બરસાત ફિલ્મથી ગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. માત્ર 500 રૂા.માં બે ગીતો લખ્યા જે પતલી કમર હૈ અને બરસાત મેં હમસે મીલે જે ખુબજ હિટ થયા હતા. 1951માં આવારા ફિલ્મમાં આવારા હું જેવા ગીતથી તે ટોચ પર પહોંચી ગયા. આ ગીત ભારત તેમજ એ જમાનામાં વિદેશોમાં પણ પ્રખ્યાત થયું હતું. બાદમાં 1955માં શ્રી 420 ફિલ્મ રીલીઝ થઈ ને બધા ગીતો હીટ થયા. પ્યાર હુઆ ઈકરાર હુઆ આજે પણ લોકો ગાય છે.

1962માં આવેલી રંગોલી ફિલ્મના ગીત છોટી સી યે દુનિયા ખુબજ પ્રચાલિત થયું હતું. શંકર-જયકિશને નિર્માતા બીજા ગીતકારને લેવા માંગતા હતા, પણ ભલામણ કરીને શૈલેન્દ્ર પાસે ગીતો લખાવ્યા જે ખુબ જ હિટ થયા હતા. તેમણે વિવિધ સંગીતકારોમાં સલિલ ચૌધરી (મધુમતી), એસ.ડી.બર્મન (ગાઈડ-બંદિની અને કાલા બાઝાર) રવિ સાથે (અનુરાધા)  હિટ ગીતો બનાવ્યા, તેવી જ રીતે નિર્માતા બિમલ રોય (દો બીઘા જમીન, મધુમતી-બંદિની) અને દેવાનંદ સાથે ફિલ્મ ગાઈડના ગીતો લખ્યા હતા.

1966માં તેમણે તીસરી કસમ ફિલ્મ બનાવી જેમાં મોટુ રોકાણ કર્યુને ફિલ્મ નિષ્ફળ ગઈ, ખોટ ગઈ. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો પણ આર્થિક મુશ્કેલીમાં આવેલા શૈલેન્દ્રનું મૃત્યુ થઈ ગયું. આ ફિલ્મ ખુબજ વખાણાઈ હતી. આ ફિલ્મ અને બાકી રહેતી ફિલ્મોના ગીતો તેમના પુત્ર શૈલી શૈલેન્દ્રએ પૂર્ણ કર્યા હતા. રાજકપૂરે તેને તેના પિતાએ લખેલા ગીતો પૂરા કરવાનું કહેલ હતું. જેમાં મેરા નામ જોકરના ગીતો જીના યહાં મરના યહાં પિતાના મુખડાને પુત્ર શૈલી શેલેન્દ્રએ પૂરું કરેલ હતું. ગીતકાર ગુલઝારે ઘણીવાર કહ્યું હતું કે, શૈલેન્દ્ર ફિલ્મ જગતના મહાન ગીતકાર હતા.

શૈલેન્દ્રને ત્રણ વખત શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળેલ હતો. જેમાં યે મેરા દિવાનાપન હે (યહુદી-1958), સબ કુછ શીખા હમને (અનાડી 1959) તથા મેં ગાઉ તુમ સો જાવો (બ્રહ્મચારી 1968) ફિલ્મો સામેલ છે. ગીતકાર શૈલેન્દ્રની હિટ ફિલ્મોમાં મધુમતી, તીસરી કસમ, યહુદી, શ્રી 420, સીમા, ચોરી ચોરી, પરખ, રાજકુમાર, દિલ એક મંદિર, આવારા, ગાઈડ, સંગમ, અનાડી, કાલા બાઝાર, દિલ અપના ઔર પ્રીત પરાઈ, બરસાત, સંગીત સમ્રાટ તાનસેન, મેરા નામ જોકર, મેરી સુરત તેરી આંખે, ઈવનીંગ ઈન પેરીસ, બ્રહ્મારી જેવી વિવિધ ફિલ્મોમાં શ્રેષ્ઠ ગીતો લખ્યા હતા. 1949 થી 1966 સુધી માત્ર 17 વર્ષમાં તેમણે અદભૂત ગીતો ફિલ્મ જગતને આપ્યા હતા. પ્રથમ ફિલ્મ બરસાતને છેલ્લી ફિલ્મ તીસરી કસમ હતી. 2013માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

તેમના હિટ ગીતોની લાંબી યાદી થઈ શકે છે પણ શ્રી 420નું મેરા જુતા હે જાપાની, મધુમતીનું સુહાના સફર ઔર યે, સીમા ફિલ્મનું ગીત તુ પ્યાર કા સાગર હૈ, દિલ એક મંદિરનું યાદે ન જાયે બીતે દિનોકી, આવારા ફિલ્મનું ટાઈટલ ગીત તથા સજન રે જુઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ, ફિલ્મ તીસરી કસમ જેવા ઘણા લોકપ્રિય ગીતો લખ્યા છે. આજે તેમના ઘણા ગીતો રીમીકસ થઈને આપણને સાંભળવા મળે છે. જૂના ગીતકારોના  ગીતોના શબ્દોની તાકાત હતી જેમાં સુમધુર ગાયકો સાથે શ્રેષ્ઠ સંગીતકારો ધુનથી અવિસ્મરણીય ગીતો આપણને 1950 થી 70ના દાયકામાં આપણને મળ્યા છે. જે ક્યારેય ભૂલી નહીં શકાય.

હિન્દી ફિલ્મજગતના શ્રેષ્ઠ ગીતોની ગીતકારની વાત થાય ત્યારે શૈલેન્દ્ર હસરત જયપુરીના નામ પ્રથમ જ આવે તે બન્ને સાથે શંકર-જયકિશન જેવા સંગીતકારો ઉમેરાતા શ્રેષ્ઠ કર્ણપ્રીય-મીઠડાં ગીતો બન્યા છે.શૈલેન્દ્ર જેવા ગીતકારે માત્ર દોઢ દાયકામાં હિન્દી ફિલ્મોમાં શ્રેેઠ ગીતો આપ્યા હતા. તેમનું ફિલ્મ શ્રી 420નું ગીત મેરા જૂતા હે જાપાની 2016માં હોલીવુડ ફિલ્મ ડેડપુલમાં જોવા મળ્યું હતું.

ગીતકાર શૈલેન્દ્રના હિટ ગીતો

  • * તુ પ્યારકા સાગર હૈ (સીમા)
  • * યે રાત ભીગી ભીગી (ચોરી-ચોરી)
  • * મેરા જુતા હે જાપાની (શ્રી 420)
  • * ગાતા રહે મેરા દિલ (ગાઈડ)
  • * હર દિલ જો પ્યાર કરેગા (સંગમ)
  • * સબ કુછ શીખા હમને (અનાડી)
  • * જીના યર્હાં મરના યર્હાં (મેરા નામ જોકર)
  • * સજન રે જુઠ મત બોલો (તીસરી કસમ)
  • * મે ગાઉં તુમ સો જાવો (બ્રહ્મચારી)
  • * ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાન (કાલા બાઝાર)
  • * આવારા હું (આવારા)
  • * યાદે ન જાયે બીતે દિનો કી (દિલ એક મંદિર)
  • * યે મેરા દિવાનાપન હૈ (યહુદી)
  • * છોટી સી યે દુનિયા, પહચાને રાસ્તે હૈ (રંગોલી)
  • * પ્યાર હુઆ, ઈકરાર હુઆ (શ્રી 420)
  • શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ

ગીતકાર શૈલેન્દ્રને ત્રણ વખત સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, એ ફિલ્મ હતી યહુદી, અનાડી અને બ્રહ્મચારી જેને આજે પણ લોકો યાદ કરે છે.

  • * 1958  યે મેરા દિવાનાપન હૈ ફિલ્મ યહુદી
  • * 1959  સબ કુછ શીખા હમને ફિલ્મ અનાડી
  • * 1968  મે ગાઉં તુમ સો જાવો ફિલ્મ બ્રહ્મચારી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.