• માતૃશ્રી સ્વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી સથવારો ફાઉન્ડેશનના કોર્પોરેટર કેતન પટેલનું સેવામય આયોજન
  • જન્માષ્ટમી પર્વ નિમીતે

સૌરાષ્ટ્રની જાણીતી સેવા સંસ્થા સથવારો ફાઉન્ડેશન દ્વારા માતૃ શ્રી સ્વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી તેમજ પ્રમુખ કોર્પોરેટર તેમજ આર એમ સી આરોગ્ય સમીતી ચેરમેન કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ છેલ્લા 34 વર્ષથી સતત કરવામાં આવે છે. જેમાં અર્થિક રીતે નબળા કુટુંબને દર મહિને વિનામુલ્યે અનાજ વિતરણ, ગરીબ દર્દીઓને વિનામુલ્યે દવા સહાય, ઈમરજન્સી કેસ માટે લોહીની સહાય મહા રક્તદાન શિબીરોનું સતત આયોજન, દર વર્ષે અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તથા પુસ્તક-યુનીફોર્મની સહાય, દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમીતે ટોકન ભાવે ચીજ વસ્તુ વિતરણ, દર વર્ષે આર્થિક તથા નબળા વર્ગના લોકોને રેકડી, અપંગને ટ્રાઈસીકલ તથા ધાબડા વિતરણ, નવરાત્રી દરમ્યાન શહેરની ગરબીની બાળાઓ ને પ્રસાદ તથા લાણી, આર્થીક રીતે નબળા કુટુંબને પ્રસંગોપાત વાસણો વિનામુલ્યે ભાડે આપવામાં આવે છે. દર વર્ષે ઋષી પંચમી નિમીતે કસ્તુરબાધામ ત્રંબા ખાતે ફરાળ પ્રસાદ દર વર્ષે માતાના મઢ ચાલીનેજતા પદયાત્રીકો માટે રાવટી તથા પ્રસાદ અમરનગર ખાતે, 24 કલાક એમ્બ્યુલન્સ સેવા, હનુમાન જયંતી ઉપર સમસ્ત રાજકોટ બટુક ભોજન તથા જીવદયા – ગૌસેવા સહિતની સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. પ્રર્વતમાન કોરોનાની બીમારીના સમયમાં પણ 60 હજાર જેટલા પ્રાંતીય મજુરો, બાળકો, માટે ટ્રેનની ટીકીટ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, કિટ વ્યવસ્થા, દવાઓ વગેરે માં પણ સતત ઉપયોગી બન્યું હતું. કોરોના સમયગાળા દરમ્યાન રાજકોટની મુખ્ય લગભગ તમામ સંસ્થાઓને સથવારો કાઉન્ડેશન તન, મન, ધન થી ઉપયોગી બન્યું હતું હજારો દર્દીનારાયણ દરીદ્રનારાયણને રોકડ સહાય, અનાજ સહાય, ભોજન સહાય,મેડીકલ સહાય સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, જીવદયા-ગૌસેવાની પણ અનેકવિધ પ્રવૃતિઓ સથવારો કાઉન્ડેશન દ્વારા આ કાળમાં કરવામાં આવી છે. સથવારો ફાઉન્ડેશન દ્વારા સતત 34માં વર્ષે જન્માષ્ટમીના પવિત્ર પર્વને-ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ધામધુમથી, હર્ષભેર વધાવી શકે તેવા ઉમદા અને પવિત્ર આશયથી જીવન જરૂીરયાતની ખાદ્ય વસ્તુઓનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના  મહંત દેવપ્રસાદ સ્વામી, સ્વામીનારાયણ ગુરુકુલ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું  તેમજ આ સેવા યજ્ઞમાં    દાતાઓ  ઉપસ્થિત રહ્યા હતા  સથવારો ફાઉન્ડેશન દ્વારા માતૃ શ્રી સ્વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી ભવ્ય સેવાકીય પ્રવૃતિમાં ફકત રૂા. 10 માં 6 વસ્તુ જેવી કે તેલ 1 લીટર, ચણાનો લોટ 500 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, મેંદાનો લોટ 500 ગ્રામ, ચોખાના પૌવા 500 ગ્રામ, મકાઈના પૌવા 500 ગ્રામ આપવામાં આવ્યું હતું. 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિને જ વસ્તુ આપવામાં આવી હતી. સમગ્ર આયોજન અંગે સથવારો ફાઉન્ડેશ ના પ્રમુખ અને રાજકોટ મહાનગર પાલીકાના આરોગ્ય સમીતી ચેરમેન કેતન પટેલના માર્ગદર્શન માં ઉમેશ ભુત, પરેશ વોરા, સુધીર ઠુંમર, રવિ ડાંગર, પ્રશાંત રાયચુરા, મનીષ ઝવેરી, જીતુ કાકડીયા, લલીત મોદી,રશ્મીન કાકડીયા, મેહુલ જોબનપુત્રા, વિપુલ માખેલા, શૈલેષ હાપલીયા, પરાક્રમસિંહ જાડેજા, જીનલ રૈયાણી, સુરેશ ચૌહાણ, પ્રદિપ અનડકટ, બકુલ મકવાણા, હિતેષ ડોબરીયા, પ્રદિપ અનડકટ, કૌશલ ધામી, સંજય જોબનપુત્રા, હિરેન ગણાત્રા, સંજય વઘાસીયા તથા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી હતી સમગ્ર આયોજન અંગે ગુંદાવાડી વેપારી મિત્ર મંડળ નો હર હંમેશનો સહયોગ મળતો રહ્યો છે.

સથવારો ફાઉન્ડેશનનો જરુરીયાત મંદોને સધિયારો: કેતન પટેલ

‘અબતક’ સાથેની વાતચીતમાં કેતન પટેલએ જણાવ્યું હતું કે, સથવારો ફાઉન્ડેશન છેલ્લા 34 વર્ષથી કાર્યરત છે. જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને 1પ0 થી વધુ કાર્યકર્તાઓની ટીમ સાથે મળીને અનાજ વિતરણ કરવામાં આવે છે. અગાઉ 10 રૂ. ના ટોકન દરે 1 કિલો તેલ, ચણાનો લોટ, વિવિધ પ્રકારના પવા વિતરણ કરવામાં આવ્યા છે. બહોળી સંખ્યામાં જરુરીયાત મંદોએ લાભ લીધો હતો.

34 વર્ષથી સથવારો ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃતિ અવિરત: શૈલેષ હાપલીયા

‘અબતક’ સાથેની વાતચીતમાં શૈલેષ હાપલીયાએ જણાવ્યું હતું કે, 1ર,000 પરિવારોને જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને અનાજ કીટ આપવામાં આવી છે. સથવારો ફાઉન્ડેશન છેલ્લા 34 વર્ષથી સેવાકીય પ્રવૃતિથી કાર્યરત છે. ઋષિ સાતમના દિવસે ત્રંબા ખાતે 1 લાખ સ્ત્રીઓને ફરાળ શ્રાવણમાં 2000 સ્ત્રીઓને સોમનાથ મહાદેવના દર્શનનો લાભ જરુરીયાત મંદોને નોટબુક વિતરણ સહીતની સેવાઓથી કાર્યરત છે. થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પનું પણ અવાર નવાર આયોજન કરે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.