• 700 જેટલી બહેનો અને 30 જેટલાં ભાઈઓ મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી અર્થે આવશે
  • ગુન્હા કિસી એક કા, સજા સબકો બરાબર મિલી

ભાઈ-બહેનના પવિત્ર બંધનનું પ્રતીક એટલે કે રક્ષાસૂત્ર. રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેન ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય તેમજ સુખાકારી માટે પ્રાર્થના કરે છે જયારે સામે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ભાઈ બહેનની રક્ષા માટે હાજર રહેશે તેવી આશા રાખતી હોય છે. ભાઈ – બહેનના પવિત્ર પર્વની ઉજવણી દેશ-વિદેશમાં કરવામાં આવે છે. ત્યારે દર વર્ષે આ પર્વની જેલ ખાતે પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. બહેનો જયારે ભાઈને રક્ષાસૂત્ર બાંધવા જેલ ખાતે આવતી હોય છે ત્યારે કેદીના કપડામાં રહેલા ભાઈને જોઈ બહેનની આંખો ભીંજાઈ જતી હોય છે અને બહેનના રુદનને જોઈ ભાઈના આંખમાં આંસુ આવી જતાં હોય છે. આ એવી ઘડી હોય છે કે, જયારે એક ગુનાની સજા ફક્ત આરોપીને નહિ પણ આખા પરિવારને મળી રહી છે તેવો અહેસાસ સો ટકા કેદીને થતો હોય છે. ત્યારે વધુ એકવાર સોમવારે જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાશે. ભાઈ-બહેનના પવિત્ર પર્વની ઉજવણી માટે જેલ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર સોમવારે રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે જેલ તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મધ્યસ્થ જેલમાં હાલ અંદાજિત 2100 જેટલાં કેદીઓ છે ત્યારે આ પૈકી 700 જેટલાં બંદીવાનોના ભાઈ અથવા બહેન જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી માટે આવશે તેવી આશા છે. જેને ધ્યાને રાખીને વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બહેનો તેમના ભાઈને રક્ષાસૂત્ર બાંધવા માટે સવારે 8 વાગ્યાંથી જઈ શકશે.

જેલ પરિસરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી વિના કોઈ વિઘ્ને થઇ શકે તેના માટે શહેર પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. જેલ તંત્ર દ્વારા 15 પોલીસ કર્મીઓ, 15 મહિલા પોલીસકર્મી અને 2 પીએસઆઈની માંગણી કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જેલ તંત્રની માંગણી સામે 15 પોલીસકર્મીઓ, 10 મહિલા પોલીસકર્મીઓ અને એક પીએસઆઈને જેલ પરિસરમાં બંદોબસ્ત અર્થે ફાળવવામાં આવ્યા છે. જેલ ગાર્ડ પણ પોલીસ કર્મચારીઓની સાથે બંદોબસ્તમાં જોડાનાર છે.

આ ઉપરાંત રક્ષાબંધનની ઉજવણી માટે જેલ તંત્ર દ્વારા તમામ બહેનોને રક્ષાસૂત્ર તેમજ મીઠાઈ લઇ આવવાની છુટ આપવામાં આવશે. ઉપરાંત જેલની અંદર બનાવવામાં આવેલી મીઠાઈ (ખજૂરપાક અથવા મોહનથાળ)નું રાહત દરે વેચાણ પણ કરવામાં આવનાર છે જેના માટેનો સ્ટોક પણ ઉપલબ્ધ કરાવી લેવામાં આવ્યો છે. તેમજ રક્ષાબંધનની ઉજવણી માટે કંકુ, ચોખા, સુસોભીત થાળીની વ્યવસ્થા પણ જેલ તંત્ર દ્વારા કરવામાં આવશે.

જેલમાં બંદોબસ્ત માટે 15 પોલીસકર્મી, 10 મહિલાકર્મીઓ અને એક પીએસઆઈની ફાળવણી

મધ્યસ્થ જેલ દ્વારા રક્ષાબંધન પર્વે જેલ પરિસરમાં બંદોબસ્ત માટે શહેર પોલીસ પાસે 15 પોલીસ કર્મીઓ, 15 મહિલા પોલીસકર્મી અને 2 પીએસઆઈની માંગણી કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જેલ તંત્રની માંગણી સામે 15 પોલીસકર્મીઓ, 10 મહિલા પોલીસકર્મીઓ અને એક પીએસઆઈને જેલ પરિસરમાં બંદોબસ્ત અર્થે ફાળવવામાં આવ્યા છે. જેલ ગાર્ડ પણ પોલીસ કર્મચારીઓની સાથે બંદોબસ્તમાં જોડાનાર છે.

ભીંજાયેલી આંખો સાથે બહેનો બાંધશે ભાઈના કાંડે રક્ષાસૂત્ર

દર વર્ષે જયારે મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અત્યંત લાગણીસભર દ્રશ્યો સર્જાતા હોય છે. જેલમાં રહેલા ભાઈ કે બહેનને જોઈ પરિજનોની આંખો ભીંજાઈ જતી હોય છે. ત્યારે જેલમાં ભાઈ અને બહેનના રુદનથી કઠણ મનના માનવીની આંખમાં પણ આંસુ આવી જતાં હોય છે અને ત્યારે એક ગુનાની સજા આખા પરિવારને મળી રહી છે તેવું ચિત્ર ઉપસી આવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.