• પૂજારીઓ દ્વારા શયન સ્તુતિ પહેલાં ઠાકોરજીને પવિત્રા અર્પણ કરાશે02 15

Dwarka: આજરોજ શ્રાવણ સુદ અગિયારસ એટલે કે પવિત્ર એકાદશી. દ્વારકાધીશ જગતમંદિરમાં પવિત્રા એકાદશી પર્વને દર વર્ષે પરંપરાગત રીતે ઊજવવામાં આવે છે. જગતમંદિરના પ્રણવભાઈ પૂજારીના જણાવ્યાનુસાર આજના પાવન દિને કૃષ્ણ વંદે જગદ્ગુરૂ એટલે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશને પોતાનું સર્વસ્વ માનતા ભકતગણ દ્વારા જગતગુરૂ દ્વારકાના રાજાધિરાજને સંધ્યા આરતી પહેલાં ભકિતભાવ સાથે પવિત્રા પધરાવવામાં આવે છે. આજ પવિત્રાને પૂજારીઓ દ્વારા રાત્રે શયન સ્તુતિ પહેલાં ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.