• લાલવાડીમાં રહેતા ત્રણ પિતા પુત્રોએ વેપારીને લમધારી નાખ્યા

  • ફરી પૈસા માંગશે તો પતાવી દેવાની ધમકી આપી

Jamnagar: દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને રાજપાર્ક વિસ્તારમાં ભંગારનો વાડો ચલાવતા અલ્પેશભાઈ રમણીકભાઈ ચાંદ્રા નામના 39વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર આડેધડ હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવી દેવા અંગે લાલવાડી વિસ્તારમાં રહેતા નૂરમામદભાઈ ઝાડમ તથા તેના બે પુત્ર હુસેન નૂરમહમદભાઈ અને શાહનવાઝ નૂરમહમદભાઈ સામે ફરીયાદ નોંધાવી છે, જ્યારે તેને ઈજા થઇ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભંગારના વેપારી અલ્પેશભાઈ આરોપી નૂરમામદ ઝાડમ પાસે પોતાના વેપારના ધંધા ના પૈસા માંગતા હતા, તે પૈસાની ગઈકાલે આરોપી પાસે ઉઘરાણી કરતાં ઉશ્કેરાઈ જઇ વેપારીને  આરોપી પિતા-પુત્રોએ લમધારી નાખ્યા હતા, અને ફરીથી પૈસાની માંગણી કરશે, તો પતાવી નાખશે તેવી ધમકી આપી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.  પી.એસ.આઈ. આર.પી. અસારી ત્રણેય આરોપીઓને શોધી રહ્યા છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.