• વાંકાનેરના રાજવી રાજપુત સમાજનું ગૌરવ
  • એઇમ્સમાં નિયુકત કેસરીદેવસિંહનીને આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ આપ્યા અભિનંદન

vankaner : વાંકાનેરના પ્રજા વત્સલ્ય અને વાંકાનેર રાજ પરિવારના મહારાજ તેમજ રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ડી. ઝાલાની રાજકોટ એઇમ્સ હોસ્પિટલના સભ્ય પદે વરણી કરવામાં આવી છે. રાજપુત સમાજ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓમાં અદભુત અને અનેરો આનંદ છવાયો છે.

તા. 7-8-2024 ના રોજ રાજવી અને રાજયસભાના સાંસદ મહારાણા કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલાને કેન્દ્ર સરકારે એઇમ્સમાં નિયુકત કરવામાં આવ્યા છે.

આ તકે કેન્દ્રના હેલ્થ મીનીસ્ટર જે.પી. નડ્ડાએ કેશરીદેવસિંહજી ઝાલાને અભિનંદન પાઠવેલ હતા. તેમજ રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ આ તકે કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કરેલ હતો. સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા એઇમ્સના સભ્ય પદે નિમાયાના સમાચાર વાંકાનેર વાસીઓને મળતા રાજપુત સમાજ, ભાજપના કાર્યકર્તાઓ તથા સમર્થકોમાં અને વિવિધ સામાજીક શૈક્ષણિક સંસ્થાઓમાં હર્ષની લાગણી છવાઇ ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.