• મુસાફરો આનંદો: લાંબા અંતરની 10 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવાઇ
  • અમદાવાદ,કલકત્તા,કોલ્હાપુર એક્સપ્રેસ, અમદાવાદ, પટના, પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી અપાઇ

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની 10 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા માટે લેખિત તેમજ મોખિક રીતે અવારનવાર રજૂઆત કરતા હતા. આ બાબતે છેલ્લે ભક્તિનગર રેલ્વે સ્ટેશન ઉપર અમૃત મહોત્સવના કાર્યક્રમમાં પણ જાહેર કરેલ હતું કે, ટૂંક સમયમાં રાજકોટને લાંબા અંતરની ટ્રેનો લંબાવી આપવા માટે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ દ્વારા હકારાત્મક અભિગમ દાખવેલ.

આમ રજૂઆતના હકારાત્મક પડઘા પડેલ અને અત્યારે અમદાવાદ સુધી આવતી ટ્રેનને રાજકોટ સુધી લંબાવી આપવામાં આવી છે. રામભાઈની રજુઆતને સફળતા મળી છે પ્રજામાં આનંદની લાગણી ફેલાય ગઈ છે. જેમાં અમદાવાદ કલકતા એક્સપ્રેસ – વીકલી, કોલ્હાપુર એક્સપ્રેસ – વીકલી (અમદાવાદ-પટના એક્સપ્રેસ)- વીકલી (પ્રેરણા એક્સપ્રેસ-અઠવાડીયામાં ત્રણ દિવસ એમ કુલ 4 ટ્રેનોને લીલીઝંડી આપી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.