બીજી બધી ઋતુઓ કરતાં વરસાદની ઋતુમાં કબજિયાતની સમસ્યા વધુ પરેશાન કરે છે. એકવાર આવું થાય તો જીવન મુશ્કેલ બની જાય છે. ખરેખર જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તે નાના આંતરડામાં પહોંચે છે. અહીં ખોરાકને પચાવવા માટે લીવર અને પેટમાંથી ઘણા રસાયણો નીકળે છે. તેમની મદદથી ખોરાકમાંથી આવશ્યક પોષક તત્વો મેળવવામાં આવે છે. જે આપના શરીરને એનેર્જી આપે છે. પણ ખરાબ ખોરાક આપણા આંતરડામાં યોગ્ય રીતે પચતો નથી. જેના કારણે પેટમાં ગંદકી જમા થવા લાગે છે. જો આ ગંદકી લાંબા સમય સુધી રહે તો ભારે કબજિયાત થાય છે. જેના કારણે ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા પણ વધી જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક ફળો વધુ ફાયદાકારક સાબિત થાય છે. હવે પ્રશ્ન એ છે કે તે ફળો ક્યાં ક્યાં છે? તો જાણો કે તમારા શરીરમાં પાચનતંત્રને સુધારવા માટે ક્યાં ફળોનું સેવન કરવું ફાયદાકારક છે.

Adopt this remedy to get relief from digestive system problem in monsoon

આ 6 ફળો પાચનતંત્ર માટે ફાયદાકારક છે.

પપૈયું

Adopt this remedy to get relief from digestive system problem in monsoon

પપૈયાનું સેવન પેટને લગતી  માટે ફાયદાકારક છે. કબજિયાતની સમસ્યામાં પપૈયાનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેમાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે. જે પાચનક્રિયાને સુધારવામાં અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. રોજ નિયમિતપણે પપૈયાનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

કેળા

Adopt this remedy to get relief from digestive system problem in monsoon

કેળામાં પ્રીબાયોટિક ફાઈબર હોય છે. જે સ્વાસ્થય માટે ફાયદાકારક છે. આંતરડાના બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ બેક્ટેરિયા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમજ કેળાંનું સેવન તમને કબજિયાતની સમસ્યામાથી રાહત આપી શકે છે.

નારંગી

Adopt this remedy to get relief from digestive system problem in monsoon

કબજિયાતની સમસ્યામાં તમારે તમારા આહારમાં નારંગીનો સમાવેશ કરવો જોઈએ. નારંગીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે પાચનતંત્રની પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આંતરડામાં જમા થયેલી ગંદકી બહાર આવે છે. તેમજ તેમાં નારીન્જેનિન (ફ્લેવોનોઈડ) હોય છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે.

નાશપતી

Adopt this remedy to get relief from digestive system problem in monsoon

નાશપતીનું સેવન કરવાથી પેટ સાફ રહે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર, ફ્રુક્ટોઝ અને સોર્બીટોલ જેવા તત્વો રહેલા છે. જે આંતરડાની ગતિને સપોર્ટ આપવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી કબજિયાત અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત મળે છે.

સફરજન

Adopt this remedy to get relief from digestive system problem in monsoon

સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે આંતરડાની ગતિ વધારવામાં મદદ કરે છે. તેમાં પેક્ટીન હોય છે. જે આંતરડાની ગતિમાં સુધારો કરીને કબજિયાતથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સફરજનનું સેવન હંમેશા તેની છાલ સાથે કરવું સ્વાસ્થય માટે ફાયદાકારક છે.

કીવી

Adopt this remedy to get relief from digestive system problem in monsoon

કીવીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે. જે કબજિયાતની સમસ્યામાથી રાહત આપે છે. સાથોસાથ તેમાં એક્ટિનિડિન નામનું એન્ઝાઇમ હોય છે. તેમજ આ ફળનું સેવન કરવાથી પેટ પણ સાફ રહે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.