• દિવ્ય મનોરથના દિવ્ય દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લીધોCS9opzoy Screenshot 5 2

Dwarka: દ્વારકાધીશ જગતમંદિરમાં ધ્વજારોહણની સાથે સાથે ઠાકોરજીના અન્નકૂટ મનોરથ, કુંડલા ભોગ, કુનવારા ભોગ, સુકા મેવા ભોગ, આંબા મનોરથ સહિતના અલગ અલગ મનોરથો યોજવાનું પણ મહાત્મ્ય દિન-પ્રતિદિન વધતું જાય છે. ત્યારે ગત રોજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે સુકા મેવા મનોરથ દર્શન ઠાકોરજીના ભાવિક ભકત દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો. આ દિવ્ય મનોરથના દિવ્ય દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લીધો હતો. આ ઉપરાંત મનોરથના દિવ્ય દર્શનને ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી તેઓ ભાવવિભોર બન્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.