• આગામી 19-20 ઓક્ટોબરના રોજ
  • તબીબી ઈતિહાસમાં રાજકોટમાં 250થી વધુ તબીબો પેટ્રન મેમ્બર બન્યા: બે દિવસની કોન્ફરન્સમાં વિવિધ રોગ, નિદાન,  અધતન સારવાર વગેરે મુદા પર દેશ વિદેશના નામાંકિત તબીબો માર્ગદર્શન  આપશે: વિશ્ર્વ કક્ષાના તબીબી જ્ઞાનની આપલેથી સૌરાષ્ટ્રના લાકેોને પણ ફાયદો થશે
  • ઈન્ડીયન મેડીકલ એસોસીએશનની રાજયકક્ષાની જીમાકોન કોન્ફરન્સમાં ચેરમેન તરીકે ડો. અતુલ પંડયાની વરણી તથા ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે ડો. સંજય ભટ્ટ, ડો.ચેતન લાલસેતા અને ડો. પારસ શાહની વરણી
  • જીમાકોન  2024 કોન્ફરન્સ અંગેની માહિતી આપવા ડો. ભરત કાકડીયા, ડો.ભાવેશ સચદે, ડો.ચેતન લાલસેતા, ડો. અતુલ પંડયા, ડો.હિરેન કોઠારી, ડો. પારસ શાહ, ડો. કાંત જોગાણી, ડો. સંજય ભટ્ટ, ડો. મેહુલ શાહએ અબતકની મુલાકાત લીધી

ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાત 76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-2024 રાજકોટના આંગણે યોજાઈ રહી છે. આઠ વર્ષ બાદ એલોપેથી તબીબોના વિશ્ર્વના સૌથી મોટા સંગઠન ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સના યજમાન બનવાની તક રાજકોટ આઈ.એમ.એ.ને મળી છે. તેમ ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પ્રમુખ જાણીતા ઈ.એન.ટી. સર્જન ડો. ભરત કાકડીયાએ જણાવ્યુ છે. કોન્ફરન્સના ચેરમેન તરીકે રાજકોટના જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડ્યા તથા ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે ડો. સંજય ભટ્ટ, ડો.ચેતન લાલસેતા અને ડો.પારસ શાહની વરણી કરવામાં આવી છે.

ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાત શાખાની  76મી વાર્ષિક  કોન્ફરન્સ જીમાકોન  2024 રાજકોટના આંગણે યોજાનાર છે. ત્યારે  કોન્ફરન્સની વિગત આપવા આઈ.એમ.એ. ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા, ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે સેક્રેટરી ડો. મેહુલ શાહ, ડો. ચેતન લાલસેતા, ડો. અતુલ પંડયા, ડો.હિરેન કોઠારી, ડો. પારસ શાહ, ડો. કાંત જોગાણી, ડો. સંજય ભટ્ટએ અબતક મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

ઇન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય સેક્રેટરી ડો. અનિલ નાયકે માહિતી આપતા કહ્યું કે, તબીબી ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યોજાનારી રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં 250થી વધુ તબીબો પેટ્રન તરીકે નોંધાયા છે.

ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ઈ.એન.ટી. સર્જન ડો. ભરત કાકડીયા અને જીમાકોનના ચેરમેન રાજકોટના જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડ્યાના જણાવ્યા અનુસાર ગુજરાતભરના એલોપેથી તબીબોની કોન્ફરન્સ જીમાકોન-2024 આગામી તા.19-20 ઓક્ટોબર-2024 (શન-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહી તબીબી ક્ષેત્રે થયેલી અદ્યતન શોધ-સારવાર અંગે જ્ઞાનની આપ-લે કરશે. ગુજરાત આઈ.એમ.એ.ની રાજ્ય કક્ષાની આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના વિવિધ રોગના નિષ્ણાત તબીબો ખાસ ઉપસ્થિત રહી તેમના જ્ઞાનનો લાભ અને માર્ગદર્શન આપશે.

જીમાકોન-24ના જોઈન્ટ સેક્રેટરી ડો. પ્રફુલ કમાણી, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા અને જોઈન્ટ ટ્રેઝરર ડો. પિયુષ ઉનડકટ અને ડો. જયેશ ડોબરીયાના જણાવ્યા અનુસાર ગુજરાત આઇ.એમ.એ.ની ટીમ દ્વારા લોકઉપયોગી કાર્યક્રમોની ઝુંબેશ સાથે ખાસ હૃદ્યરોગ બાબતે લોકોને જાગૃત કરવા વિશેષ સેમીનારો ગુજરાતના તમામ મોટા સેન્ટરોમાં યોજાઈ રહ્યા છે. હાલમાં હૃદયરોગના કારણે મૃત્યુના બનાવ વધ્યા છે ત્યારે લોકોમાં આ બાબતે ઉભી થયેલી ગેરસમજો દૂર થાય, લોકો જાગૃત બને એ માટે ગુજરાતભરમાં જાણીતા હદયરોગ નિષ્ણાતોની ટીમ દ્વારા સેમીનારો રાખવામાં આવી રહ્યા છે.

જીમાકોન-24 ના સફળ આયોજન માટે રીસેપ્શન કમીટીના ચેરમેન ડો. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત, સુવેનિયર કમીટીના ચેરમેન ડો. જય ધીરવાણી, ઓડિયો વિઝ્યુઅલ કમીટીના ચેરમેન ડો. મિહિર તન્ના, ઈનોગ્રેશન ફંક્શન કમીટીના ચેરમેન ડો. અમીત હપાણી, ફાયનાન્સ કમીટીના ચેરમેન ડો. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમીટીના ચેરમેન ડો. સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમીટીના ચેરમેન ડો. નિતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન ડો. વિજય નાગેચા, સ્પાઉસ પ્રોગ્રામ કમીટીના ચેરમેન ડો. સ્વાતિબેન પોપટ, રજીસ્ટ્રેશન કમીટીના ચેરમેન ડો. રશ્મી ઉપાધ્યાય, એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન ડો. નિતીન ટોલીયા, ફૂડ એન્ડ બેવરેજીસ કમીટીના ચેરમેન ડો. કમલેશ કાલરીયા, કીટ એન્ડ મેમેન્ટો કમીટીના ચેરમેન ડો. દેવેન્દ્ર રાખોલીયા, એસ.ડબલ્યુ.સી. કમીટીના ચેરમેન ડો. વી. બી. કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમીટીની રચના કરવામાં આવી છે.

ગુજરાત આઈ. એમ. એ.ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયા, સેક્રેટરી ડો. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડો. અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડો. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીક) ડો. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડો. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડો. પારસ શાહ, રાજકોટ આઈ. એમ.એ. ના પ્રમુખ ડો. કાંત જોગાણી, સેક્રેટરી ડો. અમીષ મહેતા, જીમાકોન-2024ના કો. ચેરમેન ડો. એમ. કે. કોરવાડીયા, ડો.હિરેન કોઠારી, ડો. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમીટી ચેરમેન ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડો. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફૂલ કમાણી, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા, જોઇન્ટ ટ્રેઝરર ડો. પિયુષ ઉનડકટ, ડો. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડો. એસ. ટી. હેમાણી, ડો. સી. આર. બાલધા, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વિજય મહેતા સેવા આપે છે.

સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં અગ્રેસર ઈન્ડિયન મેડિકલ એસોસિએશન

જીમાકોન-24ના કો.ચેરમેન ડો. એમ. કે. કોરવાડીયા, ડો. હિરેન કોઠારી અને ડો. દિપેશ ભાલાણીના જણાવ્યા અનુસાર ગુજરાત આઈ.એમ.એ.ના હોદ્ેદારોના માર્ગદર્શન હેઠળ રાજકોટની ટીમ દ્વારા વર્ષોથી સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. નિયમીત સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, ગામડાના લોકોને ઘર આંગણે નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન ઉપલબ્ધ બને એ માટે નાના સેન્ટરોમાં જઈ વિવિધ સેમીનારો, અકસ્માતના કારણે થતા મોતના બનાવો અટકે એ માટે ટ્રાફિક અવેરનેસના સેમીનારો, વ્યસન મુક્ત સમાજની રચનાના હેતુ સાથે લોક જાગૃતિના કાર્યક્રમો, વિવિધ રોગ વિશે લોકોમાં ફેલાયેલી ગેરસમજો દૂર થાય એ માટેના પ્રયાસો, તંદુરસ્ત બાળક, તંદુરસ્ત માતા, તંદુરસ્ત પરિવારની

ભાવના સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સમાજમાં આપઘાતના બનાવો વધ્યા છે ત્યારે ખાસ કરીને વિદ્યાર્થી તરૂણો, યુવાનોમાં ડિપ્રેશનના કારણે આપઘાતના બનાવ વધ્યાએ બાબતે ચિંતિત બની ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાત દ્વારા ગુજરાતભરમાં ‘જીવીશ’ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેને ખૂબ સારી સફળતા મળી હતી. આ કાર્યક્રમ અંતર્ગત માનસીક રોગના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઇન પણ શરૂ કરવામાં આવી હતી.

તંદુરસ્ત સમાજની રચના માટે નવા વિચારો તબીબોમાં રોપવાનો પ્રયાસ કરાશે: ડો. ભરત કાકડીયા

અબતકના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતા સાથેની વાતચિતમાં ડો. ભરત કાકડીયાએ જણાવ્યું હતુ કે ગુજરાત આઈ.એમ.એ.ની.સળંગ  76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન  2024 19 અને 20 ઓકટોબરના  રોજ સિઝનસ હોટેલ ખાતે યોજાનાર છે. રાજયકક્ષાની કોન્ફરન્સમાં દેશ-વિદેશના વિવિધ રોગના નિષ્ણાંત તબીબો  ખાસ ઉપસ્થિત રહી તેમના જ્ઞાનનો લાભ અને માર્ગદર્શન આપશે. અને તબીબી ક્ષેત્રે થયેલી અદ્યતન શોધ સારવાર અંગે જ્ઞાન આપલે કરશે.

વધુમાં વાત કરતા જણાવ્યું હતુ કે રાજકોટ મેડીકલનું હબ બની ગયું છે.  સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટમાં સારવાર માટે આવે છે. અત્યારે કોર્પોરેટર કલ્ચરના કારણે નાના યુનીટોને બેલેન્સ કરવું અધરૂ થતું જાય છે.  લોકો નાના યુનીટમાં સારવાર કરાવે છે તેઓને ચાર્જીસમાં પણ રાહત મળે અને ટ્રીટમેન્ટથી સંતુષ્ટ પણ હોય છે. અત્યારે સુપર સ્પેશ્યાલીટી, મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ વધી રહી છે.  પરંતુ લોકોમાં તેના પ્રત્યેની જાગૃતતા ઓછી છે. જો કોઈ વ્યકિતની હાલત ગંભીર હોય તાત્કાલીક તેને મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં લઈ જવામા આવે તો જીવન બચાવી શકાય છે. કયારે કઈ પરિસ્થિતિમાં કઈ હોસ્પિટલમાં લઈ જવા તે માટે જાગૃતતા કેળવવી જરૂરી છે. જીમાકોન કોન્ફરન્સમાં તંદુરસ્ત સમાજની રચના માટે નવા વિચારો   તબીબોમાં  રોપવાનો  પ્રયાસ કરવામાં આવશે જેનો સમગ્ર સમાજને ફાયદો થશે.

લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડરને લઈને વિશ્ર્વકક્ષાએ થયેલી આધુનિક શોધ વિશે માહિતગાર કરાશે: ડો. ચેતન લાલસેતા

જીમાકોન-2024ના સેક્રેટરી ડો. ચેતન લાલસેતા, ડો. સંજય ભટ્ટ અને ડો. પારસ શાહે કોન્ફરન્સની થીમ વિશે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર મતલબ કે આધુનિક-અનિયમીત જીવનશૈલીના કારણે ઉદ્ભવતા રોગ. હાલ આપણે ભાગ-દોડવાળી, ટેન્શનવાળી જીંદગી જીવીએ છીએ. અનિયમિત- બેઠાડુ અને શ્રમના અભાવવાળી લાઈફ સ્ટાઈલના કારણે ઉદ્ભવતા રોગ હાલ પડકારજનક સ્થિતિમાં જોવા મળે છે. વર્તમાન જીવનશૈલીના કારણે હૃદય રોગ, મગજના રોગ, માનસિક રોગ, ડિપ્રેશન, તાણ, નિરાશા, વધુ પડતી મેદસ્વીતા, સાંધાના-કમરના દુ:ખાવા, પેટ-પાચનને લગતા દર્દ ખૂબ જોવા મળે છે. ઈન્ફેક્શનથી થતા રોગ કરતા હાલ વાયુ પ્રદૂષણ અને આહારમાં ભેળસેળના કારણે લોકો વધુ રોગમાં સપડાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.