રાજ્યના પ્રતિનિધિ સાંસદ પરિમલ નથવાણીએ આજે ​​પોતાના નવા પુસ્તક કોલ ઓફ ગીની પ્રથમ કોપી કાર્યક્રમ પ્રધાન મંત્રી ધનને પાની નિવાસ સ્થાને એક નાનકડા મિલન માં ભેટ આપી છે. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમા સ્વીકારવાની સાથે-સાથે નાથના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી.

સાંસદ પરિમલ નથવાણીએ તેમનું પુસ્તક 'કોલ ઓફ ધ ગીર' વડાપ્રધાન મોદીને અર્પણ કર્યું

આ પ્રસંગે,નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને પ્રોજેક્ટ લાથન અને Lime 4? અમૃતકાળની પરિકલ્પનાના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે.

પુસ્તક આપણ કર્યા બાદ, નથવાણી સાથેના અનૌપચારિક સંવાદમાં, વડાપ્રધાનએ ગીરના પ્રવાસન અંગે પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરીયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાનએ આ સુંદર કોફી ટેબલ બૂક બહાર પાડવા અંગેની નથવાણીની પ્રતિબધ્ધતાને બિરદાવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે તેમણે વ્યાવસાયિક અને જાહેરજીવનની જવાબદારીઓને સંતુલિત કરીને ‘કોલ ઓફ ધ ગીર’ (ગીરના સાદ)નો પ્રત્યુત્તર આપ્યો છે.

“કોલ ઓફ ધ ગીર એ નથવાણીની વધુ એક કોફી-ટેબલ બુક છે. ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિંગનોગ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. અગાઉ 2017માં, નથવાણીએ પુસ્તક ગીર લાયન્સ પ્રાઈડ ખોફ ગુજરાત લખ્યું હતું. જેનું પ્રકાશન ટાઈમ્સ ગ્રુપ બુક્સ (ટીજીબી) દ્વારા કરાયું હતું.

રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીએ આ પ્રસંગે માનનીય વડાપ્રધાનનો આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.