• સર્વરોગ નિદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ અને પશુરોગ નિદાન કેમ્પ નું આયોજન
  • વિઠ્ઠલ રાદડીયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર  આયોજન WhatsApp Image 2024 07 29 at 6.21.04 PM 7

વિસાવદર ન્યુઝ:  વિઠ્ઠલ રાદડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિસાવદર તાલુકાના સરસઈ ગામે જીલ્લા પંચાયત સદસ્ય વિપુલ કાવાણી દ્રારા સર્વરોગ નિદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ અને પશુરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બહોળી સંખ્યામાં દર્દીઓ કેમ્પનો લાભ લેવા સહભાગી થયા હતા આ સાથે ગૌશાળામાં ગાયોને ખોળ ખવડાવી ત્યાર બાદ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પના અધ્યક્ષ તરીકે રાજકોટ જીલ્લા બેંક ના યુવા ડાયરેકટર લલિતભાઈ રાદડીયા તેમજ આગેવાનો સાથે ગામના સરપંચ અને વડીલ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.