સમાજમાં ભારતીય સંસ્કૃતિના રક્ષણ અને વિસ્તરણ માટે સ્વામીનારાયણ સંપ્રદાય સદાય અગ્રેસર રહ્યો છે. સમાજને હંમેશા સત્ય, અહિંસા અને ભાતૃભાવનાનો સંદેશો આપનાર સ્વામીનારાયણ ગુrરૂકુળે ગોંડલ રોડ, રાજકોટ ખાતે અ.ની.ગુરૂ દેવ શાસ્ત્રીજી મહારાજના દિક્ષા શતાબ્દી ઉપક્રમે ભાવાંજલી મહોત્સવ-૨૦૧૭નું આયોજન કરેલ હતું. ત્રીજા દિવસે ગુરૂરૂકુળ ખાતે પ્રભાતફેરી સાથે ગુ‚કુળના પ્રાંગણમાં અન્નકૂટ, કુડીયજ્ઞ અને કથા પારાયણનું આયોજન કર્યું હતું.સ્વામીનારાયણ ગુરૂકુળ વર્ષોથી ભેદભાવ રાખ્યા વગર સમાજ સેવામાં લિપ્ત છે. પુર-ભૂકંપ જેવી કુદરતી આપતીઓમાં પણ મદદ કરવામાં આ સંસ્થા અગ્રેસર રહી છે.

આર્થિક મદદથી જ નહીં પણ વ્યક્તિનું સામાજીક ઉત્થાન થાય તેવા પ્રયત્નો પણ આ સંસ્તા કરે છે. ગુનાખોરી, વ્યસન જેવી બદીઓ દૂર કરવા માટે આ સંસ્થા વખતો-વખત લોક-જાગૃતિના કાર્યક્રમો યોજે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.