• ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને રથયાત્રાના દિવ્ય શણગાર
  • હનુમાનજી મહારાજને જાંબુડાનો ભવ્ય અન્નકૂટ ધરાયો
  • સવારે 05:45 કલાકે શણગાર આરતી કરાઈWhatsApp Image 2024 07 07 at 08.57.13 968a6411

બોટાદ ન્યૂઝ : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અષાઢી બીજ નિમિતે શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યા હતા.WhatsApp Image 2024 07 07 at 08.57.13 cbb65d44

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને રથયાત્રાના દિવ્ય શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને જાંબુડાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

               

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.