• ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશ્ર્વ સહકારીતા દિવસની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભવ્ય ઉજવણી: સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોનો મેળાવડો જામ્યો
  • સહકાર સે સમૃધ્ધિ 

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશ્વ સહકારીતા દિવસની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ વેળાએ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોનો મેળાવડો જામ્યો હતો. આ કાર્યક્રમમાં નેનો ફર્ટિલાઈઝર્સ ઉપર 50 ટકા સબસીડીની યોજનાનો અમિત શાહે પ્રારંભ કરાવ્યો છે.

આજે કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકાર ટૂંક સમયમાં નેનો-ફર્ટિલાઇઝર્સ પર સબ્સિડી આપવા માટે એક સ્કીમ લઈને આવી રહી છે. આ સાથે નેનો-ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવામાં આવશે. સાથે જ ખેડૂતો માટે ખેતીનો ખર્ચ પણ ઘટશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 6 જુલાઈએ એટલે કે આજે તેનું લોકાર્પણ કર્યું છે. . કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ આ ખાતર સબ્સિડી યોજનાનો પ્રારંભ કરાવ્યો છે . આ યોજનાનો ઉદ્દેશ્ય ચાલુ નાણાકીય વર્ષમાં નેનો-ખાતરની ખરીદી માટે ખેડૂતોને 50 ટકા સુધીની સહાય પૂરી પાડવાનો છે.

અહેવાલ અનુસાર અમિત શાહે 6 જુલાઈએ એટલે કે આજે ગુજરાતના ગાંધીનગરથી કેન્દ્ર સરકારની યોજના ’એજીઆર-2’ લોન્ચ કરી છે. તેઓએ અહીં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ દિવસ કેન્દ્રીય સહકારી મંત્રાલયનો ત્રીજો સ્થાપના દિવસ પણ છે. આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહ યોજના હેઠળ ખેડૂતોને સહાયની રકમ ચૂકવી છે. તે જ સમયે, અમે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ ‘ભારત ઓર્ગેનિક ઘઉંનો લોટ’ પણ લોન્ચ કર્યો છે. કેન્દ્રીય મંત્રી બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં સહકાર સંબંધિત અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે. તેથી, સરકાર ભારતની સહકારી ખાતર કંપનીઓ દ્વારા ઉત્પાદિત નેનો-ખાતરોના પ્રમોશન પર વિશેષ ધ્યાન આપી રહી છે. નેનો-ફર્ટિલાઇઝર્સને પ્રોત્સાહન આપવા માટે 100 દિવસનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તેના ભાગરૂપે, સરકાર 413 જિલ્લામાં નેનો ડીએપી (પ્રવાહી)ના 1,270 ટ્રાયલ અને 100 જિલ્લામાં નેનો યુરિયા પ્લસ (પ્રવાહી)ના 200 ટ્રાયલ પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પહેલ ઇકો-ફ્રેન્ડલી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે અને કૃષિ ક્ષેત્રમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવાની અપેક્ષા છે.

ઓર્ગેનિક ઘઉંના લોટનું પણ કરાયું લોન્ચિંગ

ગાંધીનગરમાં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ પર આયોજિત ’સહકાર સે સમૃદ્ધિ તક’ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો.  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસને સંબોધિત કર્યું.  આ દરમિયાન દિલ્હીના મયુર વિહારમાં ભારત ઓર્ગેનિક્સ અને અમૂલ ઓર્ગેનિક્સ સ્ટોર દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘઉંનો લોટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.