• ઠાકોરજીના બાળ સ્વરૂપ ગોપાલજીની જળયાત્રા યોજાઈ 
  • નૌકાવિહારના દર્શન વર્ષમાં ફક્ત એક વખત નીકળે છે 

દ્વારકા ન્યુઝ : યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ઠાકોરજીના બાળ સ્વરૂપ ગોપાલજીની જળયાત્રા નીકળી હતી . આ દર્શનનો લાભ સ્થાનિકો અને યાત્રિકોએ લીધો હતો. નૌકાવિહારના દર્શન વર્ષમાં ફક્ત એક વખત જ થતા હોય ત્યારે સૌ કોઈ ભક્તો આ દર્શન કરી ભાવવિભોર થયા હતા.WhatsApp Image 2024 06 21 at 23.59.59 7b31d10a

યાત્રાધામ દ્વારકાના જગત મંદિર અંદર આજ રોજ સવારે વર્ષમાં ફક્ત બે વખત થતા ખુલ્લાં પડદે સ્નાનના દર્શન આજ રોજ ભક્તો એ કર્યા હતા આજ રોજ જયેષ્ઠાભિષેક અલૌકિક દર્શન બાદ સાંજે ઠાકોરજી ના બાળ સ્વરૂપ ગોપાલજી ને મંદિર ના ગર્ભગૃહ ની બહાર નિજસભા માં નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો જગત મંદિરમાં પવિત્ર જળ થી જલકુંડ ભરવામાં આવ્યો હતો જેમાં ભગવાન નું બાલ સ્વરૂપ ગોપાલજી ને નાવ માં બિરાજમાન કરી ને નૌકા ઉત્સવ એટલે કે જળયાત્રા ઉત્સવ મનોરથ ની ઉજવણી કરવામાં આવી હતી જેનો લાભ ઉપસ્થિત હજારો ભાવિકોએ લીધો હતો.

મહેન્દ્ર કક્કડ 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.