• જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં એક વ્યક્તિએ ખરીદેલા વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળી આવતાં દોડધામ
  • જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને જાણ કરાઈ હોવાથી ફૂડ શાખા દ્વારા સેમ્પલો લેવાની કાર્યવાહી

જામનગર ન્યૂઝ : જામનગરમાં પુષ્કરધામ સોસાયટી શેરી નંબર -૫ માં રહેતા જસ્મીન પટેલ નામના વ્યક્તિએ ગઈકાલે પ્રખ્યાત  કંપનીની વેફરનું પેકેટ ખરીદયું હતું. જે પેકેટને ઘરે લઈ ગયા પછી તેને ખોલતાં તેમાંથી એક મૃત દેડકો મળી આવ્યો હોવાની ફરિયાદ થઈ હતી.

આજે સવારે જસ્મીનભાઇ પટેલ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને ફૂડ શાખા દોડતી થઈ હતી. જે વેફરનું પેકેટ ખોલીને નિરીક્ષણ કર્યા પછી તેના તેમજ અન્ય વેફરના સેમ્પલો લેવામાં આવ્યા છે  અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અશ્વિન પટેલ દ્વારા ગઈકાલે વેફરનું પેકેટ ખરીદાયું હતું અને ગઈકાલે રાત્રે અડધું તોડ્યું હતું. ત્યારબાદ તેના પુત્ર એ આજે સવારે વેફરનું પેકેટ ખોલીને ખાવા જતાં તેમાંથી દેડકો દેખાયો હોવાની ફરિયાદ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. તે અંગે ખરાઈ કરવામાં આવી રહી છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.