• પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ 
  • બકરી ઇદના તહેવાર ને લઇ ઇન્ચાર્જ પીઆઇ દ્વારા મીટિંગનું આયોજન કરાયું

જામનગર ન્યૂઝ : જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમા બકરી ઇદ તહેવાર આવી રહ્યો જેને લઇ શાંતિ સિમિતની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીંટીગ ઇન્ચાર્જ પીઆઇ વિરેનસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. WhatsApp Image 2024 06 14 at 09.17.20 આ બકરી ઇદ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવી પીઆઇ વિરેનસિંહ રાઠોડ દ્વારા અપીલ કરાઇ હતી. તેમજ ઇન્ચાર્જ પીઆઇ રાઠોડ વધુ જણાવ્યું કે, સોશ્યલ મીડિયા અફવા થી દુર રેહવું તથા કોઇ અનિચ્છનીય બનાવ ‘ન’ બને તે માટે તકેદારી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ તકે મિટીંગમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો-અગ્રણીઓ, વેપારીઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આગેવાનો દ્વારા સાથ-સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.