• વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ : ફરાર સ્વામીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

’ભગવો’ ધારણ કરીને સમાજને સાચી રાહ બતાવવાની ફરજ ધરાવતા સાધુઓ જ જયારે સમાજ મને શર્મશાર કરવા જેવું કૃત્ય આંચરે ત્યારે તેઓ સમાજને કેવી રીતે સાચી રાહ દેખાડી શકશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. એક જ સપ્તાહમાં ’ભગવો’ ધારણ કરનાર ત્રણ સાધુઓના અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા સ્વામી દ્વારા 8 વર્ષ અગાઉ સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ વાડી પોલીસ મથકે નોંધાયા બાદ આરોપી જગતપાવનદાસ વડતાલથી ફરાર થઈ ગયા છે. વાડી પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે, જોકે, હજુ સુધી આરોપીનો કોઈ પત્તો લાગ્યો નથી. ભારે ચકચાર મચાવનાર ફરિયાદની વિગત એવી છે કે, ભોગ બનેલી યુવતી સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે મંદિરે દર્શને જતી હતી. તે સમયનાં કોઠારી સ્વામી જગતપાવનદાસે પિતાના ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને 10 સપ્ટેમ્બર 2016ના રોજ બોલાવી મંદિરની નીચેના રૂમમાં લઈ ગયા હતા અને રૂમ બંધ કરી દીધો હતો. ત્યાર બાદ જબરજસ્તીથી કપડાં કઢાવી નાખી દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને કહીશ તો પરિવારને ખતમ કરી તે નાખીશ એવી ધમકી આપી હતી. બાદમાં જો હું કહું તેમ નહિ કરે તો હું આત્મહત્યા કરી કહીશ એવી ધમકી પણ આપી હતી.

પીડિતાએ પોતાને સ્વામી દ્વારા સ્વામીના વ્હોટ્સએપ ગ્રૂપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવવાનો અને ન્યૂડ ફોટો આપી બીભત્સ વાતો કરાવી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે. હાલમાં પીડિતા 23 વર્ષની છે અને તેણે વાડી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વાડી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

જયારે બીજી બાજુ બગસરા શહેરમાં હાલમાં નવ નિર્માણ પામેલું સ્વામી મંદિર જે પહેલેથી જ વિવાદ સાથે સંકળાયેલુ રહ્યું છે ત્યારે આજે ફરી આ સ્વામિનારાયણ મંદિરનો વિવાદ સામે આવ્યો હતો. બગસરા સ્વામિનારાયણ મંદિરનાં બે સાધુએ એક બાળકને સાધુ બનાવવા બ્રેઇન વોશ કરી શહેરમાંથી ભગાડયો હતો. આ બાબતની જાણ બાળકના પિતાને થતા તેણે કોઈ રીતે બાળકનો પત્તો મેળવી લીધો હતો. છતાં પણ આ બાળકને આ સાધુઓ દ્વારા પરિવાર વિરૂધ્ધ ઉશ્કેરતા હોવાનો પિતા દ્વારા આક્ષેપ કરાયો હતો. બગસરા શહેરમાં સ્વામી નારાયણ મંદિરમાં બાળકોની શિબિર બગસરા શહેરમાં છે અને અનેક પ્રકારની કથા અને ભજનો ચાલતા હોય ત્યારે આ સ્વામિનારાયણ મંદિરના બે ચૈતન્યસ્વામી તેમજ સદ્દગુણ સ્વામી દ્વારા બાળકોનુ બ્રેઈન વોશ કરી સાધુ બનાવવા માટે ઉશ્કેરવામાં આવતા હતા. બાળકોને એવા પાઠ ભણાવવામાં આવતા હતા કે તમારા માતા પિતાએ તમારા માતા પિતા છે જ નહિ તમારું આ દુનિયામાં સ્વામિનારાયણ સિવાય કોઈ છે જ નહિ આ રીતે આ બંને સાધુઓ દ્વારા બાળકોની મતિ ફેરવવાનું કારસ્તાન સામે આવ્યું છે. ત્યારે એક બાળકને બગસરા મંદિરમાંથી ભગાડી દેવામાં આવ્યો હતો. તે બાળકના પિતા દ્વારા સ્વામીનારાયણ મંદિરે જઈ અનેક આજીજી કરી હતી પરંતુ આ બાળકનો પત્તો આપ્યો ન હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.