બ્રેઈન ટયુમર એક મગજમાં થતો ખતરનાક રોગ છે. જેના કારણે હંમેશા કેન્સરનો ભય રહે છે. આ રોગનો ઈલાજ સમયસર ન કરાવામાં આવે તો તે જીવલેણ સાબીત પણ થઈ શકે છે. બ્રેઈન ટયુમર વિશે જાગૃતતા ફેલાવવા માટે પહેલીવાર વર્ષ 2000માં જર્મન બ્રેઈન ટયુમર એસોસીએશન દ્વારા 8 જૂનને બ્રેઈન ટયુમર દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી.

મગજની ગાંઠ એ મગજમાં અનિયમિત રીતે વિભાજીત થતી અસામાન્ય કોષોનો સમૂહ છે. મોટાભાગના મગજની ગાંઠો સામાન્ય રીતે સૌમ્ય હોય છે અને ધીમે ધીમે વધે છે, પરંતુ કેટલાક જીવલેણ કેન્સર જીવલેણ સાબિત થઈ શકે છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. મગજના કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાં માથાનો દુખાવો, ઉબકા, ઉલટી, ઊંઘમાં તકલીફ અને થોડા દિવસોમાં થાકની સતત લાગણીનો સમાવેશ થાય છે. મગજની ગાંઠોની સારવાર યોજના અને પરિણામને ઘણા પરિબળો અસર કરે છે, જેમ કે ગાંઠનો પ્રકાર અને કદ, કેન્સરનું સ્થાન અને તેનો વિકાસ દર. જો કે, સર્જિકલ તકનીકોમાં આધુનિક એડવાન્સિસે સારવારના પરિણામો અને દર્દીના જીવન ટકાવી રાખવાના દરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. મગજની ગાંઠ એ તમારા મગજમાં અસામાન્ય કોષોનો ગઠ્ઠો છે. આ મગજની ગાંઠોને પ્રાથમિક અને ગૌણ મગજની ગાંઠોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. મગજના કોષોમાં અસામાન્ય વૃદ્ધિને કારણે પ્રાથમિક મગજની ગાંઠો રચાય છે, જ્યારે ગૌણ મગજની ગાંઠ મગજના કોષો સિવાયના કોષોમાંથી વિકસે છે. આ સાથે, મગજની ગાંઠોને પણ સૌમ્ય અને જીવલેણ ગાંઠોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

મગજની ગાંઠની સારવાર શું છે

માથામાં થયેલી જૂની ઇજાની અવગણના થઈ શકે છે જીવલેણ – News18 ગુજરાતી

છેલ્લા કેટલાક દાયકાઓમાં મેડિકલ સાયન્સમાં ઘણી પ્રગતિ થઈ છે. મગજની ગાંઠની સારવારમાં પણ કેટલીક તકનીકો વિકસાવવામાં આવી છે જે તેને રોકવા અથવા દૂર કરવાનું શક્ય બનાવે છે. માથાની ગાંઠની સારવાર શસ્ત્રક્રિયા, રેડિયેશન થેરાપી અને કીમોથેરાપી દ્વારા કરી શકાય છે. જ્યારે ગાંઠ મગજની અંદર હોય અને બીજે ક્યાંય ફેલાઈ ન હોય ત્યારે તમારા ડોક્ટર શસ્ત્રક્રિયાની ભલામણ કરી શકે છે. જ્યારે સર્જન શસ્ત્રક્રિયા કરે છે, ત્યારે તેનો ઉદ્દેશ્ય તંદુરસ્ત મગજની પેશીઓને નુકસાન પહોંચાડ્યા વિના શક્ય તેટલા વધુ ટ્યુમર કોષોને દૂર કરવાનો છે. ગાંઠને વધુ વધતી અટકાવવા માટે રેડિયેશન થેરાપીનો ઉપયોગ થઈ શકે છે. મોટાભાગે તમારા ડોક્ટર તમારા માટે શ્રેષ્ઠ સારવાર યોજના બનાવવા માટે આ સારવારોનું સંયોજન બનાવશે. ન્યુરોસર્જન સાથે, તમે તમારા રોગને સમજી શકો છો અને તમારી શારીરિક જરૂરિયાતો અનુસાર શ્રેષ્ઠ સારવાર યોજના મેળવી શકો છો.

બ્રેન ટ્યૂમરના ચેતવણી ચિહ્નો જે જાણવા જરૂરી

1: માથાનો દુખાવો
2: ઉબકા અને ઉલ્ટી
3: નિંદ્રા
4: દૃષ્ટિ, શ્રવણ અથવા
ભાષામાં ફેરફાર
5: વ્યક્તિત્વ પરિવર્તન

Brain Cancer Diagnosis

6: સંતુલનની સમસ્યા
7: દોરા આવાવ
8: માથાના કદમાં વધારો
9 : બોલવામાં પરેશાની
10 : ક્ધફ્યૂઝન અને
યાદશક્તિ કમજોર થવી
11 : વ્યવહારમાં બદલાવ
12 : સાંભળવામાં
પરેશાની
13 : ચક્કર આવવા

રોગથી બચવામાટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

માથાનો દુખાવો થવો સામાન્ય વાત છે, આવી સ્થિતિમાં હળવો દુખાવો થાય તો ડોક્ટર પાસે દોડવાને બદલે થોડો આરામ કરવો જોઈએ, પરંતુ તેમ છતાં આ દુખાવો ઠીક ન થાય અને પેઈનકિલરથી છુટકારો નથી મળતો તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આવા લક્ષણો જોવા પર, જો તમે પેઇન કિલર લેતા હોવ અને જ્યાં સુધી દવા અસર હોય, તો દુખાવો ઠીક છે અને તે પછી તે ફરીથી શરૂ થાય છે, તો પછી વારંવાર દવા ન લો અને ડૉક્ટરની સલાહ લો. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો યોગ્ય સમયે બ્રેઈન ટ્યુમરની ખબર પડી જાય તો તેને ઠીક કરી શકાય છે. ખોરાક પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. તંદુરસ્ત જીવનશૈલી, કસરત અને સારી ઊંઘ પણ લેવી જોઈએ.

હાલ ટયુમરના કેસમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે: ડો.પ્રકાશ મોઢા

Screenshot 3 1 1

રાજકોટના જાણીતા ન્યુરોસર્જન ડો. પ્રકાશ મોઢાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારત અને સમગ્ર વિશ્વમાં બ્રેન ટયુમરનું નિદાન ઝડપ થી અને સારી રીતે થઈ રહ્યું છે.કારણ કે તેના સારવારના સાધનોમાં ખૂબ વિકાસ જોવા મળી રહ્યો છે.નવી નવી ટેકનોલોજીને લીધે હવે રોગનું નિદાન ખૂબ સરળ બન્યું છે. પેહલાના સમયની સરખામણીમાં હાલ ટયુમરના કેસમાં 15 થી 20 ટકા વધારો થયો છે.બ્રેન ટયુમરની સારવારમાં એક આવિષ્કાર કરવામાં આવ્યો છે.’બ્રેન ટયુમર વેફર’ જે કેન્સરના જંતુઓ તેમજ કેન્સર થયેલા ભાગને દૂર કરી નાખે છે.

બાળકો અને યુવાનોમાં ટયુમરનું પ્રમાણ વધારે છે: ડો.સારિકા પાટીલ

Screenshot 4

રાજકોટના જાણીતા ન્યુરોલોજિસ્ટ તેમજ ડિસ્ઓડર સ્પેશિયાલીસ્ટ ડો. સારિકા પાટિલે અબતક સાથેની વાત ચીતમાં જણાવ્યું કે ભારતમાં દર 10 લાખ વ્યક્તિમાંથી 5 કે 10 ટકા લોકો બ્રેન ટયુમરનો ભોગ બને છે.જેમાં બાળકો અને યુવાનોનું પ્રમાણ વધારે છે.વધુમાં તેના ઈલાજ વિશે વાત કરતા જણાવ્યું કે, ટયુમરનું નિદાન કેમોથેરાપી દ્વારા થઈ શકે છે. પરંતુ નાના મગજની ગાઠમાં બાયોપસી સફળ જાય તેની સંભાવના ઓછી છે.તેમજ મગજમાં ક્રિટિકલ જગ્યાએ થતી ગાઢને દૂર કરવાની સારવાર લેસર દ્વારા કરવામાં આવે છે. તેમજ તેમને લોકોને સારો સંદેશો પાઠવતા કહ્યું કે,ટયુમરએ કોઇ ગંભીર બીમારી નથી.તેથી લોકોએ ભ્રામક
વાતોથી દુર રહીને આ બાબતે જાગૃત થવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.