• સુરતથી પોઈચા ફરવા ગયેલા પ્રવાસીઓ નદીમાં ડૂબ્યા 
  • 1નો બચાવ, 7 લાપતાની શોધખોળ શરૂ

નર્મદા ન્યૂઝ : પોઈચાની નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા છે . સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા પડ્યા હતા. 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ, 1નો બચાવ કરવામાં આવ્યો છે . સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે.  બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા. સ્થાનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો.  હજુ 7 લાપતાની શોધખોળ શરૂ કરાઈ છે. રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.