મહીસાગર સમાચાર

મહીસાગર જિલ્લામાં “વાસ્મો ની નલ સે જલ “અંતર્ગત ૧૧૧ જેટલાં કોન્ટ્રાક્ટરો હવે ટેન્ડર ભરી શકશે નહીં. વાસ્મો ની નલ સે જલ યોજનામાં અનિયમિતતા બાબતે ૧૧૧ એજન્સીઓને કામ ન આપવાં સૂચના અપાઇ છે . અગાઉ વિજીલેન્સ ટીમ દ્વારા મહીસાગર જીલ્લામાં  વાસ્મો ની નલ સે જલ યોજનાં અંતર્ગત ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી .

તપાસને અંતે કામ કરતી એજન્સીઓની કામગીરીમાં અનીમિયતા અને ખામી સામે આવતા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે . મહીસાગર જીલ્લામાં  ૧૧૧ જેટલી એજન્સીઓને કામ ન આપવાં તેમજ ચૂકવણું ન કરવા ગાંધીનગર થી મહીસાગર વાસ્મો અઘિકારીને લેખિત જાણ કરાઈ છે . તમામ એજન્સીઓ સામે ભવિષ્યમાં પેમેન્ટની રિકવરી કરવાના હેતુસર પેમેન્ટ નહીં ચૂકવવા ગાંધીનગર થી આદેશ વાસ્મોમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કેટલીક ક્ષતિઓ તેમજ ખોટા બીલિંગ મુકતા હોવાના ખુલાસાને લઈ ટેન્ડર ન ભરવા સુચના અપાઈ છે .

સાગર ઝાલા

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.