કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે કાલાવાડ રોડ પર આવેલા કરોડો લોકોના આસ્થા કેન્દ્ર સમાન અક્ષર મંદીર ખાતે ભગવાન શ્રી સ્વામીનારાયણના દર્શનને વંદનો લ્હાવો લીધો હતો. મંદીર ખાતે તેમના આગમનને પં.પૂ. અપૂર્વ સ્વામીએ વધાવ્યું હતું. મંદીર પરિસરની પણ તેમણે મુલાકાત લીધી હતી અને ભગવાનશ્રી નીલકંઠ વર્ણી પર જલાભિષેક કર્યો હતો. આ સમયે તેમની સાથે ગુજરાત ફાઇનાન્સ બોર્ડના અઘ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી અને રાજકોટ મહાનગર ભાજપ દંડક રાજુભાઇ અગેરા પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.