તેના ડંખથી ઓક્સિજન પ્રક્રિયા ધીમી પડે અને થાક લાગે, કેટલીક વાર ઝેરની માત્રા વધતા માણસનું મૃત્યુ પણ થાય: તે મોટાભાગે ભૂરા અને લાલરંગના સંયોજનમાં જોવા મળે છે: વિશ્વમાં તેની ત્રણ હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે

તે પૃથ્વી પર 430 મિલિયન વર્ષો પહેલા જોવા મળ્યા હતા, તેને 15 પગ હોય છે: ચોમાસાના આગમને તે વધુ જોવા મળે છે: તે ડંખ મારીને નાગની જેમ શરીરમાં ઝેર મુકે છે: તે એકવાર કાનમાં ઘૂંસી જાય તો કાઢવો મુશ્કેલ છે

આ સૃષ્ટિ પર વિવિધ નાના મોટા જીવજંતુ આદીકાળથી વસવાટ કરી રહ્યા છે, તેના કલર-કદ અને ચિત્ર-વિચિત્ર રચનાઓને કારણે તે તેના પર્યાવરણ મુજબ રહેતા હોય છે. જીવસૃષ્ટિની એક અલગ દુનિયા છે, જે પર્યાવરણને સ્વચ્છ કરવામાં અને આપણી ઇકો સિસ્ટમની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ઋતુચક્રના ફેરફારો સાથે અને બદલાતા મોસમે તે આપણા ઘરમાં જોવા મળે છે. પ્રથમ વરસાદ બાદ પાંખ વાળા ‘મકોડા’ ઘરમાં વધુ જોવા મળે છે. આપણાં ઘરમાં માખી, વંદા, માંકડ, મચ્છર ભીંત, ગરોળી, ચાંચડ, કિડી જેવા વિવિધ નાના જીવજંતુ જોવા મળે છે.

કાન ખજૂરા વિશે ઘણી લોકવાયકા પ્રચલિત છે. આપણે ત્યાં તેને સૌભાગ્ય અને દુર્ભાગ્યના સંકેત સાથે સાંકડી દેવામાં આવ્યા છે. વરસાદની સિઝનમાં નિકળે તે સામાન્ય વાત છે, પણ બીજી ઋતુંમાં જોવા મળે તો તેને શુભ કે અશુભ માનવામાં આવે છે. તે એક કીડો છે, પણ લોકો તેને જોઇને ડરી જાય છે. તે આપણા ઘરમાં ભેજ વાળી જગ્યાએ વધુ જોવા મળે છે. આ વિચિત્ર જીવજંતુની ઘણી વાતો આપણે જાણતા નથી. તે એક કણકીટ છે અને તેને ઠંડુ વાતાવરણ કે જગ્યા સારી માફક આવે છે. તે કચરા, ધૂળ અને ભીના કે સુકા પાંદડામાં જોવા મળે છે.

બદલાતા મૌસમમાં ઘણા બધા નાના જીવજંતુ ઘરમાં આવી જાય છે. જેમાં કેટલાંય ખતરનાક પણ હોય છે. કાનખજૂરો આવુ જ એક જીવ છે. જેનો ડંખ ખૂબ જ પીડાદાયક હોય છે. તેના ડંખથી થાક લાગે ઓક્સિજનની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. કેટલીક વાર તેનું ઝેર શરીરમાં ફેલાય જાય તો માણસનું મૃત્યું પણ થઇ શકે છે. આપણે સાવચેતી માટે તે ડંખ મારે, ચોંટે કે કાનમાં જાય તો તુરંત ઇલાજ કરવો જરૂરી છે.

કાનખજૂરાને આપણાં કાન સાથે સિધો સંબંધ હોવાને કારણે તે માનવીના કાનમાં ઘણીવાર ઘૂંસી જાય છે આવે વખતે સૌથી પહેલી ડોક્ટરી ટ્રીટમેન્ટ અગત્યની છે. ઘરગથ્થુ ઇલાજમાં સીંઘાલુ મીઠું પાણીમાં નાખીને કાનમાં નાખવાથી તે મૃત્યુ પામે છે તે પાણી સાથે બહાર આવે છે. શરીરમાં જ્યારે ચોંટી જાય તો તેની ઉપર ખાંડ કે તેનો પાવડર નાંખતા તે તરત જ ભાગે છે. ડંખ ઉપર સીંઘાલુ મીઠું હળદર મીક્સ કરીને લગાડવાથી સહત થાય છે. એક વાત એ પણ છે કે ડંખ માર્યાની જગ્યાએ ડુંગળી ઘસો તો ઝેર આગળ જતું નથી. લસણને પીસીને તેનો લેપ લગાવો તો પણ ઝેર આગળ વધતું નથી.

કાનખજૂરો લગભગ 30 સે.મી. લાંબો પણ જોવા મળે છે. તે વિવિધ પ્રકારના વાતાવરણમાં જોવા મળે છે. તે મોટાભાગે ભૂરા અને લાલ રંગના સંયોજનમાં જોવા મળે છે. વિશ્વમાં તેની અલગ-અલગ 3 હજારથી વધુ પ્રજાતિ જોવા મળે છે. તે મોટાભાગે જમીનો ઉપર તથા કચરા-ગટરોમાં વિશેષ જોવા મળે છે. મોટા પથ્થરો તથા તૂટેલ મોટા લાકડાની અંદર પણ જોવા મળે છે. તે ગરમીની વસંત ઋતુંમાં ઇંડા મૂકે છે. અમુક પ્રજાતિના બચ્ચાને મોટા થતાં 3 વર્ષ લાગે છે. તેનું એવરેજ આયુષ્ય 5 થી 6 વર્ષ હોય છે. તે પૃથ્વી પર 430 મિલિયન વર્ષ પહેલા જોવા મળ્યા હતા. તેના 15 પગ જોવા મળે છે.

કાકાસાહેબ કાલેલકરે ખિસકોલી, કાગડા, બિલાડી, વાંદરા, વંદા, કાનખજૂરા જેવા જીવની સૌર્દ્ય પરખ નજરથી જોવાની તેના પુસ્તકમાં વાત કરી છે. કાનખજૂરા પાસે ઝેરવાળું બિટ્સ હોય છે. ચોમાસાના આગમને કાનખજૂરો વધુ જોવા મળે છે. લોકોમાં આના વિશેષ માહિતી નથી. એક વાત નક્કી છે કે તે સાપ જેટલો જ ઝેરી છે. તે સાપ ડંખ મારેને ઝેર શરીરમાં મૂકે તેમ કાનખજૂરો પણ કરે છે. માનવીને શ્ર્વાસ લેવામાં તકલીફ પડે છે ને અસહ્ય દર્દ થાય છે. કાનમાં ઘૂસી જવાના બનાવો ઘણીવાર જોવા મળે છે. આની કોઇએ કલ્પના પણ ન કરી હોય તેથી સાવચેતી રાખવી જરૂરી છે.

કાનખજૂરો મુખ્યત્વે અંધારામાં વધુ જોવા મળે છે. તે જો એકવાર કાનમાં ઘૂંસી જાય તો તેને કાઢવો ખૂબ જ અઘરો છે. જો કે મોટાભાગે તેનું કરડવું જીવલેણ નથી હોતું પણ ડંખ બાદ યોગ્ય નિદાન-સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. તે ઉંદરને ડંખ મારે તો તે ઝેર પ્રસર્યા બાદ 30 સેક્ધડમાં ઉંદર મૃત્યું પામે છે. માટે હમેંશા આપણું આંગણુ-ઘર કે પથારી સ્વચ્છ રાખવી અને જ્યાં-ત્યાં કચરો ના કરો તો આ જીવાણું કાનખજૂરાનો ઉપદ્રવ ઓછો ફેલાય છે. તેને વિવિધ રાજ્યોમાં જુદા-જુદા નામે ઓળખાય છે. જેમ કે રાજસ્થાનમાં ‘કાંસલા’ પંજાબમાં ‘કાંકોલ’ અને મહારાષ્ટ્રમાં ‘કંસુઇ’થી ઓળખાય છે. તેની આંખોની દ્રષ્ટિ નબળી હોય છે તે અંધારા-અજવાળાનો ફરક સમજતો નથી તો કેટલીક પ્રજાતિને આંખો હોતી જ નથી જેને કારણે જમીનની અંદર જ રહે છે. ખાસ તો જમીન અને અંધારામાં રહેતા કાનખજૂરાનો કલર બહું ઘાટો જોવા મળે છે. તેને કર્ણકીટ પણ કહેવાય છે.

આંખોની દ્રષ્ટિ નબળી હોય, તો કેટલી પ્રજાતિને આંખ હોતી નથી

કાનખજૂરાની આંખોની દ્રષ્ટિ નબળી હોય છે, તે અંધારા અજવાળાનો ફરક સમજતો નથી. કેટલીક પ્રજાતિને આંખ હોતી જ નથી. વિવિધ પ્રાંતોમાં તે જુદા-જુદા નામે ઓળખાય છે, જેમ કે પંજાબમાં ‘કોકલ’, રાજસ્થાનમાં ‘કાંસલા’ અને મહારાષ્ટ્રમાં ‘કંસૂઇ’ કહેવાય છે. નબળી દ્રષ્ટિ હોવાથી તે જમીનની અંદર રહેતો હોય છે. જમીન અને અંધારામાં રહેતા કાનખજૂરાનો કલર બહું ઘાટો હોય છે અને તેને કર્ણકીટ પણ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.