વાંકાનેરના જુના લુણસરીયા થી વીસીપરા રોડ પર ધમલપર ગામની સીમમાં પરપ્રાંતીય શ્રમિકની બોથડ પદાર્થ મારી હત્યા કરાયેલ હોય જે હત્યા કરનાર સાત આરોપીઓની ધરપકડ કરી ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

મળતી માહિતી અનુસાર,  જુના લુણસરીયાથી વીસીપરા રોડ વચ્ચે અથવા કોઇ પણ જગ્યાએ કોઇ અજાણ્યા ઇસમે શ્રમિક કાર્તિકસીંગને બોથડ પદાર્થ વડે મુંઢ માર મારતા પરપ્રાંતીય શખ્સનું મોત અંગેઅરવીંદભાઇ લામકાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  જેમાં તપાસ દરમ્યાન મરણ જનારને વાંકાનેર લુણસરીયા થી વીસીપરા રોડ, વચ્ચે અજાણ્યા માણસોએ ચોર સમજી બોથડ પદાર્થ દ્વારા મુંઢમાર મારનાર આરોપી બાબતે ખાનગી બાતમીદાર, હ્યુમન ઇન્ટેલીઝન્સ સોર્સીશ મારફતે ચોકકસ હકિકત અનુસંધાને સાહિલ ઉર્ફે ગબ્બર અબ્દુલભાઇ હાલા  પારસભાઇ ઉર્ફે ભજ્જી ભરતભાઇ મકવાણા,  અમનભાઇ અબ્દુલભાઇ આંબલીયા , યુવરાજસિંહ કપુરજી પરમાર , મોહશીનભાઇ કાસમભાઇ અજમેરી , મકસુદશા ઉર્ફે મખ્ખી કાસમશા શાહમદાર જાતે.ફકીર અલગ અલગ જગ્યાએથી હસ્તગત કરવામાં આવેલ જેઓની આગવી ઢબે પુછપરછ કરતા તમામ આરોપીઓએ આચરેલા ગુન્હાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.