ડેરા મેમ્બર રણજીત સિંહ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ મર્ડર કેસમાં પંચકૂલા સીબીઆઇ કોર્ટમાં શનિવારે અંતિમ સુનાવણી થશે. સમગ્ર વિસ્તારમાં સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. આ બંને કેસમાં રામ રહીમ આરોપી છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર કરાશે

હરિયાણાના ડીજીપી એ  કહ્યું છે કે સુનારિયા જેલમાં રામ રહીમને વીડિયો ફોન્ફરન્સ દ્વારા હાજર કરાશે. આ દરમિયાન જેલ અને સમગ્ર પંચકૂલામાં સિક્યુરીટનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. આ બાજુ હનીપ્રીતના ડ્રાઇવર પ્રદીપને રાજસ્થાનના લક્ષ્મણગઢથી એરેસ્ટ કરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટે પંચકૂલા સીબીઆઈ કોર્ટે 2 સાધ્વી પર રેપના કેસમાં દોષી જાહેર કરી રામ રહીમને 20 વર્ષની સજા સંભળાવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.