રાજય કાનુની સેવા સત્તા મંડળ,  હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપકમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ધ્વારા તા. ૧૧.૧૨.૨૦૨૧ ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે અને તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં દાખલ થયેલા અને અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં કેસો હાથ કેસો હાથ પર લેવામાં આવનાર છે.

જેમાં ફોજદારી સમાધાન લાયક , નેગોશીએબલ એકટ, બેન્ક લેણા , મોટર અકસ્માત વળતરને લગતા , લગ્નવિષયક ,  મજુર અદાલતના , જમીન સંપાદન ને લગતા અને ઈલેકટ્રીસીટી અને  પાણીના બીલો  રેવન્યુ તેમજ દિવાની પ્રકારના  સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન  અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ  દ્વારા  પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે  કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહીં તેવી પરીસ્થિતી ઉદભવે છે. તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે.

પક્ષકારોની સમજણ અને  સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય આથી અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી તા. ૧૧.૧૨.૨૦૨૧ ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા અને  જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. લોક-અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.