સીબીએસઈની ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈને આજે મોટો નિર્ણય આવી શકે છે. પરીક્ષા અંગેની મૂંઝવણ વચ્ચે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. સવારે 11.30 વાગ્યે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આ વર્ચુઅલ મીટીંગમાં દરેક પાસાને ધ્યાનમાં લીધા પછી નક્કી કરવામાં આવશે કે ધોરણ 12 બોર્ડની પરિક્ષાની તારીખ અંગે નિર્ણય લેવામાં આવશે. પરીક્ષા કઈ રીતે લેવી તેના પર પણ ચર્ચા વિચારણા કરીને તેનો પણ નિર્ણય લેવામાં આવશે.

જો કે ગુજરાત બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષા અંગેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ત્યારે આજે હવે સીબીએસઇ બોર્ડ પણ પરીક્ષાની તારીખો જાહેર કરે તે નક્કી જ છે જ્યારે બીજું બાજુ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો પણ મીટ માંડીને બેઠા છે કે આ પરીક્ષા ક્યારે લેવાશે?

આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ સચિવો, પરીક્ષાઓ લેનારા બોર્ડના અધ્યક્ષોની હાજરી હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.